Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડઃ પારડી નજીક પાર નદીમાં પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત


પ્રાપ્ત વિગત અનુસાર આપઘાત કરનાર યુવક-યુવકી એક કંપનીમાં સાથે કામ કરતા હતા. 
 

વલસાડઃ પારડી નજીક પાર નદીમાં પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

જય પટેલ/વલસાડઃ વલસાડના પારડી નજીક પસાર થતી પાર નદીમાં પ્રેમી પંખીડાઓએ મોતની છલાંગ લગાવી છે. આજે આ બંન્ને પ્રેમી પંખીડાઓએ નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરી લીધું હતું. આપઘાત કરનાર યુવકનું નામ ચંદ્રકાન્ત કુમાર રામ અને યુવતીનું નામ તુલિકા મહોન્તિ હોવાનું સામે આવ્યું છે. 

શું છે સમગ્ર ઘટના
વલસાડના પારડી નજીક પાર નદી પસાર થાય છે. અહીં આજે બપોરના સમયે એક પ્રેમી પંખીડાઓએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર યુવક-યુવતી વાપીના ગેલવા ડેકોર નામની કંપનીમાં સાથે કામ કરતા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ચન્દ્રપુરના તરવૈયાઓની મદદથી નદીમાંથી યુવક અને યુવતીના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટર માટે મોકલી આપ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More