Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડ : 11 વર્ષથી ફરાર રીઢો ગુનેગાર પત્નીની અંતિમવિધિમાં આવ્યો, અને પકડાયો

વલસાડમાં વિદેશ મોકલવાના નામે 2010 ના વર્ષમાં પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ સિટી પોલીસે દબોચી લીધો છે. આરોપીની પત્નીનું અવસાન થતાં ઘરે આવતા બાતમીના આધારે આરોપીને મિશન કોલોની ખાતેના તેના ઘરેથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 1 દશકથી પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ  આરોપી મોહંમદ શેખ પત્નીની અંતિમવિધિમાં આવ્યો અને પકડાયો હતો. 

વલસાડ : 11 વર્ષથી ફરાર રીઢો ગુનેગાર પત્નીની અંતિમવિધિમાં આવ્યો, અને પકડાયો

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડમાં વિદેશ મોકલવાના નામે 2010 ના વર્ષમાં પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ સિટી પોલીસે દબોચી લીધો છે. આરોપીની પત્નીનું અવસાન થતાં ઘરે આવતા બાતમીના આધારે આરોપીને મિશન કોલોની ખાતેના તેના ઘરેથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 1 દશકથી પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ  આરોપી મોહંમદ શેખ પત્નીની અંતિમવિધિમાં આવ્યો અને પકડાયો હતો. 

વલસાડ પંથકમાં વર્ષ 2010માં મારિયા કન્સલટન્સીની બોલબાલા હતી. વિદેશમાં સારી નોકરી આપવા માટે જાણીતી આ કન્સલટન્સીના સંપર્કમાં અનેક ગુજરાતી યુવાનો ફસાયા હતા. આ સંસ્થાના માલિક મહમંદ સલીમ યુસુફ શેખ અને તેના દીકરાના કરતૂતના કારણે અનેક લોકોએ જીવનમૂડી ગુમાવી હતી. યુવાનોને સિંગાપોર, મલેશિયા, ન્યુઝીલેન્ડમાં સારી નોકરી તથા સારો પગાર આપવાની લોભામણી વાતો કરી રકમ પડાવી હતી. સાથે જ નોકરી નહિ મળે તો પૈસા પાછા આપવાની બાંહેધરી પણ આપી હતી. પરંતુ તેઓને વિદેશમાં નહિ મોકલી અને પૈસા પરત નહિ આપી છેતરપિંડી કરી હતી. તેમના વિરૂધ્ધ 20 એપ્રિલ 2010ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપી પુત્ર ઇરફાન સલીમ શેખને પકડવામાં આવ્યો હતો. જ્યારે તેના પિતા મહંમદ સલીમ અને બીજો પુત્ર ઇરફાન ફરાર થયા હતા. 11 વર્ષથી નાસતા ફરતા આરોપી મહંમદ સલીમના પત્નીનું તાજેતરમાં જ અવસાન થયુ હતુ. તેથી તે પોતાની પત્નીની અંતિમ ક્રિયામાં આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે મહંમદ સલીમને પોલીસે તેના ઘર પાસેથી પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતને આગ સાથે શુ નાતો છે? સુરત-રાજકોટમાં બસ સળગવાના બનાવો બન્યા

મહંમદ સલીમ શેખ અને તેના દીકરા ઇમરાન અને ઈરફાન દ્વારા ચાલવામાં આવતી મારિયા કન્સન્ટલસીના પાપે અનેક યુવાનો જે-તે સમયે બરબાદ થઇ ગયા હતા. 2010 માં 19 જેટલા યુવાનોને ટુરિસ્ટ વિઝાના બહાને મલેશિયા લઇ ગયા હતા. 3 દિવસ મલેશિયામાં રાખીને મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા. તમામ 19 લોકોને વર્ક પરમીટ ન મળતા વલસાડ પરત લાવવામાં આવ્યા હતા. છેતરાયેલા લોકોએ મોહંમ્મદ શેખ પાસેથી પોતાના રૂપિયા 2 લાખ પાછા માંગ્યા હતા. પરંતુ આ ભેજાબાજ મોહમ્મદે તમામને વાયદા કરી ઓફિસને તાળું મારી ફરાર થઇ ગયો હતો. જોકે હવે 11 વર્ષ બાદ અચાનક તેની પત્નીના મોતને કારણે વલસાડ આવેલ રીઢો ગુનેગાર ઝડપાઇ ગયો છે. ગુનેગાર પકડાઈ જવાથી છેતરાયેલા લોકોને આશા જાગી છે કે તેમના રૂપિયા પરત મળશે.

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યુવાનોને વિદેશમાં રૂપિયા કમાવવાનું વધારે ઘેલું લાગ્યું છે. છેલ્લા 2 દશકમાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો વિદેશ પણ ગયા છે. જોકે યુવાનોની આ ઘેલછા અને ભોળપણનો લાભ લઇ મોહમ્મદ જેવા લોકો છેતરપિંડી આચરવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે છેલ્લા 11 વર્ષથી વલસાડ પોલીસ ચોપડે ફરાર આરોપી અંતે ઝડપાઇ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More