Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધ

Vadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય

ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધ
Updated: Jun 07, 2024, 10:28 AM IST

Vadodara News : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નદી કે તળાવમાં ડૂબીને મોતના કિસ્સા વધી રહ્યાં છે. છેલ્લાં કેટલાક મહિનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એક મહિનામાં વડોદરા જિલ્લામાં 20 જેટલા લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર બીજલ શાહ દ્વારા જિલ્લામાં જોખમી સ્થળો શોધીને તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ 23 સ્થળો પર ન્હાવા પર પ્રતિબંધ મૂક્યો છે. વડોદરાની બહુફેમસ એવી દિવેર, નારેશ્વર, સિંધરોટ અને કોટના સહીત વડોદરા જિલ્લાના 23 જગ્યાએ ન્હાવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

વડોદરામાં જળાશયો નદીમાં નહાવા પર પ્રતિબંધ

જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ વધતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરાના કલેક્ટર બીજલ શાહે જોખમી સ્થળો શોધી ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે. વાઘોડિયા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી હોવાથી પ્રતિબંધ મૂકાયો છે. 

આવી રહી છે મેઘસવારી! ગુજરાતમાં આજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

ક્યાં ક્યાં ન્હાવા પર પ્રતિબંધ
વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ડભોઈ તાલુકામાં કુલ સાત સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાં નર્મદા મેઈન કેનાલ (તેનતલાવ), નર્મદા માઈનોર કેનાલ (કુંઢેલા), અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી (વડદલી અને ભાલોદરા ગામ), અંગુઠણ નારીયા રોડ પાસે આવેલા કૂવાની સામે આવેલો સરકારી કાંસનો ઊંડો ખાડાનો સમાવેશ થાય છે.

તેમજ વડોદરા ગ્રામ્ય તાલુકામાં કુલ ચાર સ્થળોને જોખમી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચેક ડેમ, સિંધ રોટ, મહીસાગર નદીના પાણીમાં (સિંધ રોટ), મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ), ફાજલપુર બ્રિજ, મહી નદી (સાંકરદા ગામ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે પાદરા તાલુકાના કુલ ત્રણ જોખમી સ્થળ/વિસ્તારમાં મુજપર બ્રિજ, મહી નદી (મુજપુર), અંબાજી માતા તળાવ (પાદરા ગામ), મહીસાગર નદી તટ (ડબકા)નો સમાવેશ થાય છે.

ઈડર-હિંમતનગર હાઈવે બન્યો લોહિયાળ : એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો

આ સિવાય શિનોર તાલુકામાં દિવેર ગામે મઢીએ (દિવેર); સાવલી તાલુકાના લાંછનપુર અને કનોડા મહીસાગર નદીનો પટ્ટ (પોઈચા (ક)) તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ, નર્મદા નદી (લીલોડ અને સાયર ગામ)ને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરે નદી અને તળાવોમાં ન્હાવાને લઈને પ્રતિબંધ લગાવ્યો છે. ડભોઇ વાઘોડિયા શિનોર અને સાવલીમાં આવેલી નદીમાં ન્હાવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. નદી અને તળાવોમાં યુવાનો ડૂબવાના કિસ્સા ઓને લઈને આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્રની કચેરીઓમાં જાણ કરાઈ છે. 

જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલના ધમપછાડા, હવે આ બીમારીનું બહાનું કાઢ્યુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે