Home> Gujarat
Advertisement
Prev
Next

યુક્રેનથી પરત ફરેલા MBBS ના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય, સરકારે એડમિશન માટે હાથ અદ્ધર કરી દીધા

રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં 20 હજારથી વધુ MBBS ના ફસ્ટ ઈયરના સ્ટુડન્ટ અટવાયા છે. નવી ગાઈડલાઈન મુજબ યુનિવર્સિટી ટ્રાન્સફર આપવાની ના પાડી છે. જોકે ભારત સરકારની 18 ઓગસ્ટના રોજ નવી ગાઈડલાઈન સુધારવા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. 

યુક્રેનથી પરત ફરેલા MBBS ના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય, સરકારે એડમિશન માટે હાથ અદ્ધર કરી દીધા

વલસાડ :રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં 20 હજારથી વધુ MBBS ના ફસ્ટ ઈયરના સ્ટુડન્ટ અટવાયા છે. નવી ગાઈડલાઈન મુજબ યુનિવર્સિટી ટ્રાન્સફર આપવાની ના પાડી છે. જોકે ભારત સરકારની 18 ઓગસ્ટના રોજ નવી ગાઈડલાઈન સુધારવા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. 
 
ભારતીય મૂળના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા હતા. જેમાં ખાસ કરીને એમબીબીએસના વિદ્યાર્થીઓ વધુ હતા. ચાલુ વર્ષે યુક્રેન ઉપર રશિયાએ યુદ્ધ છેડતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. યુદ્ધને 6 માસ ઉપર સમય વિતી ગયો છે, છતાં યુદ્ધ બંધ થયુ નથી. ત્યારે 6 માસથી વિદ્યાર્થીઓ અટવાયા છે. ભારતીય મૂળના MBBS ના વિદ્યાર્થીઓએ સરકાર પાસે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે યુક્રેનમાં વિદ્યાર્થીઓએ ટ્વિટર ઉપર કેમ્પેઈન ચલાવી 2 લાખથી વધુ ટ્વિટ વિદ્યાર્થીઓએ કર્યા છે અને જરૂરી માર્ગદર્શન માંગી રહ્યા છે. ભારત સરકારે 18મી ઓગસ્ટના રોજ નવી ગાઈડ લાઈન જાહેર કરતા MBBS માં ગત વર્ષે યુક્રેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન ટ્રાન્સફર આપવાની ના પાડતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. 

આ પણ વાંચો : હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો

આ વિશે વિદ્યાર્થી આયુષ પાટીલે કહ્યું કે, યુક્રેનમાં અલગ અલગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ MBBS ના અભ્યાસ માટે યુક્રેનની અલગ અલગ યુનિવર્સિટીમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ ફેકલ્ટીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. ચાલુ વર્ષે રશિયાએ યુક્રેન સામે જંગ છેડી હતી. જેને લઈને યુક્રેનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ ભારતીય મૂળના તમામ વિદ્યાર્થીઓને માદરે વતન પરત લાવવામાં આવ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 6 માસ બાદ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. જેથી PMO અને યુક્રેન યુનિવર્સિટી પાસે માર્ગદર્શન મેળવવા માટે ઓપરેશન સરસ્વતી હેઠળ તમામ વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા ટ્વિટરના માધ્યમથી જરૂરી મારદર્શન મેળવવા કેમ્પઈંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 2 લાખથી વધુ ટ્વિટ વિદ્યાર્થીઓએ કરીને ટ્વિટ ટ્રેન્ડિંગમાં રહ્યું હતું. 

યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં યુક્રેનમાં MBBS માટે અભ્યાસ કરવા ગયેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં ટ્રાન્સફર ન આપવાની જાહેરાત કરી હતી. સાથે બીજા વર્ષ અને તેથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં એડમિશન બદલી લઈ શકશે તેવી જાહેરાત કરતા વિદ્યાર્થીઓ સામે અંધકાર છવાઈ ગયો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આગળ કરી ભારત સરકાર હાથ ઊંચા કરી રહી છે તેમ ભારતના વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More