Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના આ હિન્દુ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પુજા, 800 વર્ષ જુનું છે મંદિર

Gujarat Tourism: દોલા માતા હિંદુ દેવી નહીં પરંતુ મુસ્લિમ મહિલા હતા, જેમની અહીં પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાઓની બહાદુરીનું પ્રતિક છે.

અમદાવાદના આ હિન્દુ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પુજા, 800 વર્ષ જુનું છે મંદિર

Dola Mata Temple: ભારત મંદિરોનો દેશ છે. અહીં કેટલાક મંદિર એવા છે જે કોઈને પણ ચોંકાવી દેવા માટે પૂરતા છે. આવું જ એક મંદિર ગુજરાતની (Gujarat) રાજધાની અમદાવાદથી (Ahmedabad) લગભગ 40 કિલોમીટર દૂર ઝુલાસણ ગામમાં (Jhulasan Village) આવેલું છે. તેને દોલા માતાનું મંદિર (Dola Mata Temple) કહેવામાં આવે છે.
 
દોલા માતા હિંદુ દેવી નહીં પરંતુ મુસ્લિમ મહિલા હતા, જેમની અહીં પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાઓની બહાદુરીનું પ્રતિક છે. રહેવાસીઓના મતે દૌલા માતા ગામની રક્ષા કરે છે અને લોકોની સમસ્યાઓ પણ દૂર કરે છે. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ પણ અહીં આવી હતી અને અવકાશ યાત્રા પર જતા પહેલાં પૂજા કરી હતી. આગળ જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો...

આ મંદિર 800 વર્ષ જૂનું છે
સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 800 વર્ષ પહેલા આ ગામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો, જેમાં દૌલા માતાએ વીરતાપૂર્વક ગામને તે બદમાશોથી બચાવ્યું હતું અને તેઓ શહીદ થયા હતા. એવું કહેવાય છે કે દૌલા માતાનું મૃત શરીર ફૂલમાં પરિવર્તિત થઈ ગયું હતું. દૌલા માતાની બહાદુરીના સન્માનમાં, ગામલોકોએ તે જ જગ્યાએ એક મંદિર બનાવ્યું જ્યાં દૌલાએ પોતાનો જીવ બલિદાન આપ્યું હતું અને તેને દૈવી શક્તિ તરીકે પૂજવાનું શરૂ કર્યું.

મંદિરમાં કોઈ મૂર્તિ નથી
ગામના લોકોએ અહીં દૌલા માતાનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. ભવ્ય હોવા ઉપરાંત આ મંદિર ખૂબ જ સુંદર પણ છે. આ મંદિરના નિર્માણમાં લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી, માત્ર રંગબેરંગી કપડાથી ઢંકાયેલો પથ્થર છે. કપડાથી ઢંકાયેલા આ પથ્થરને દૌલા માતા તરીકે ગણવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

સુનીતા વિલિયમ્સ સાથે ખાસ જોડાણ છે
- ઝૂલાસણ ગામના ઘણા લોકો વિદેશમાં સ્થાયી થયા છે, જેમાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા છે. દીપક પંડ્યા 22 વર્ષની ઉંમર સુધી ઝૂલાસણમાં રહેતા હતા. જે બાદ તેઓ અમેરિકા ગયા હતા.
- જ્યારે સુનીતા વિલિયમ્સ અવકાશમાં જવાની હતી ત્યારે તે દૌલા માતાના આશીર્વાદ લેવા પિતા સાથે ઝૂલાસણ આવી હતી. અવકાશમાંથી પાછા ફર્યા પછી પણ દૌલા માતાના ફરી દર્શન કરવા આવ્યા હતા.
- દૌલા માતા મુસ્લિમ હોવા છતાં ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. જો કે, રવિવાર અને ગુરુવાર દૌલા માતાની પૂજાના દિવસો માનવામાં આવે છે. આ દિવસે આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમો આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More