Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર 4 મહિના મળનાર આ સુરતી ખાજાની વિદેશોમાં ભારે ડિમાન્ડ; આ રીતે થાય છે તૈયાર, લેવા ઉભું રહેવું પડે છે કલાકો!

સુરતી ખાજા ગુજરાતમાં સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે અને ચોમાસાના પ્રારંભ સાથે સુરતીઓના જાણીતા અને માનીતા સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં સુરતીઓ જોવા મળી રહ્યા છે.

માત્ર 4 મહિના મળનાર આ સુરતી ખાજાની વિદેશોમાં ભારે ડિમાન્ડ; આ રીતે થાય છે તૈયાર, લેવા ઉભું રહેવું પડે છે કલાકો!
Updated: Jun 25, 2024, 04:03 PM IST

ઝી બ્યુરો/સુરત: સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજા દેશ-વિદેશમાં વખણાય છે. જેને ખાવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે.આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ખાજાની અલગ અલગ પ્રકારની વેરાઈટી પણ આ વર્ષે ઉપલબ્ધ છે. વિદેશોમાં મોકલવા માટે ખાસ પેકિંગ કરવામાં આવે છે. માત્ર ચાર મહિના મળનાર ખાજા માટે લોકો રાહ જોતા હોય છે. 

પુષ્પા સ્ટાઇલમાં લાકડાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ, આ રીતે ઝડપાયો કરોડોનો મુદ્દામાલ

સુરતી ખાજા ગુજરાતમાં સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે અને ચોમાસાના પ્રારંભ સાથે સુરતીઓના જાણીતા અને માનીતા સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં સુરતીઓ જોવા મળી રહ્યા છે. જો દરેક ક્ષેત્રમાં થયેલા ભાવ વધારાની જેમ જ ખાજાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. મેંદો, સાકર(ખાંડ) અને સીંગતેલના ઉપયોગથી બનતા ખાજા લેબર કોસ્ટ અને તેલના ભાવવધારાને કારણે ગત વર્ષની સરખમણીમાં મોંઘા થયા છે. લીંબુ મરી ખાજા, મેંગો ખાજા, સ્વીટ ખાજા, ચોકલેટ ખાજા સહિતની વેરાઈટીઓ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે.

માત્ર 15 દિવસમાં આ 5 શેર કરાવશે તગડી કમાણી! ફરી નહીં મળે આવો મોકો

જો કે વર્ષોથી સરસિયા ખાજાની દેશ-વિદેશમાં બોલબાલા રહી છે. જેથી સીઝન શરૂ થતાં જ વિદેશ પણ પાર્સલ કરવામાં આવી રહ્યા છે તેમજ કેટલાક એન.આર.આઈ. લોકો પોતાની સાથે પણ ખાજા વિદેશ લઈ જઇ રહ્યા છે. ઉલ્લખનીય છે કે ઓરિસ્સાના પુરીના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની આ અતિપ્રિય મિઠાઈ છે. ખાજાને લઇને એક લોકવાયકા પણ છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવી પોતાની પ્રિય વાનગી કેમ બનાવવા તે સમજાવ્યું હતું અને બીજા દિવસે તેણે ભગવાને વર્ણવેલા ખાજા તૈયાર કરીને ધર્યા ત્યારે પ્રભુએ તે સ્વીકારી લીધા હતા.

ટાટાના આ શેરમાં કમાણીની તક! એક સાથે 20 એક્સપર્ટ બોલ્યા- ખરીદો

આ અંગે ભાગળ સ્થિત ખાજાના વેપારી હિમાંશુભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, અંદાજે 100 વર્ષ પહેલા મારા દાદા કૃષ્ણકાંતભાઈએ અમારી દુકાનની સ્થાપના કરી હતી. જે આજે સરસિયા ખાજા માટે સુરતીઓનું પ્રિય સ્થળ બન્યું છે. આ વર્ષે સુરતી ખાજાની કિંમત પ્રતિકિલો રૂ.440 એ તેમજ મોળા, મીઠા અને મેંગો ખાજાની રૂ.700 ની છે. 

સોનાએ કરાવી દીધી મોજ, ભાવ આજે પણ ઘટ્યા, લેટેસ્ટ રેટ જાણીને ખુશ ખુશ થઈ જશો

અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ ખાજાની માંગ હોવાથી અમે એરટાઈટ કન્ટેનરમાં સુરતી ખાજાને પાર્સલ પણ કરીએ છીએ. એર ટાઈટ કન્ટેનર માટે ખાસ સો રૂપિયા વધારે પેકિંગ ચાર્જ લેવામાં આવે છે આ પેકિંગના કારણે 30 દિવસ સુધી ખાજા ખાઈ શકાય તેવી સ્થિતિમાં હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે