Home> Gujarat
Advertisement
Prev
Next

નવરાત્રીના ત્રીજા દિવસે પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીના ઘરે થયો પુત્રનો જન્મ

જાણીતા અને પ્રસિદ્ધ લોકગાયાક કિર્તિદાન ગઢવીના ઘરે નવરાત્રીના ત્રીજા દિવસે પુત્રએ જન્મ લીધો છે.

નવરાત્રીના ત્રીજા દિવસે પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીના ઘરે થયો પુત્રનો જન્મ

રક્ષિત પંડ્યા/રાજકોટ: જાણીતા અને પ્રસિદ્ધ લોકગાયાક કિર્તિદાન ગઢવીના ઘરે નવરાત્રીના ત્રીજા દિવસે પુત્રએ જન્મ લીધો છે. કિર્તિદાન ગઢવીના પત્ની સોનલ ગઢવીએ પુત્રને શુક્રવારે મોડી રાત્રે પુત્રને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે, કે કિર્તીદાન ગઢવીને ત્યાં આ બીજા પુત્રનો જન્મ થયો છે. કિર્તીદાન ગઢવીનો મોટો પુત્ર ક્રિષ્ના છે. મહત્વનું છે, કે થોડા દિવાસ પહેલા કિર્તિદાન ગઢવી અને તેમના પુત્ર કિષ્ના ગઢવીનું ગણપતિ સોંગ લોકપ્રિય બન્યું હતું. 

fallbacks

કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કરી ખુશી 
જાણીતા ડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવીના ઘરે પુત્રનો જન્મ થતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં તેમના પુત્રના ફોટા શેર કરીને તેમના ફેન્સને જાણકારી આપી હતી.અને કહ્યપં કે, નવરાત્રીના ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More