Iskcon Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 10નો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો છે. અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે જેગુઆર કારમાં અબજોપતિ નબીરા તથ્ય સાથે તેની ત્રણ મહિલા મિત્રો પણ કારમાં સવાર હતી. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાંથી સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલ અને તેના પુત્ર તથ્ય પટેલને જોડે રાખી પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
આ VIDEO જોઈ ગુસ્સો ફાટશે! ફૂંક મારી વાળ લહેરાવ્યા..કેમેરા સામે કીધું 'થાય તે કરી લો'
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રજ્ઞેશ પટેલ અને તેના પુત્ર તથ્ય પટેલને ખુલ્લા પગે બ્રિજ પર ચલાવવામાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે પિતા પ્રજ્ઞેશ પટેલ અને પુત્ર તથ્ય પટેલે હાથ જોડી માફી માગી હતી અને ઉઠકબેઠક કરી હતી.
હું સૌની માફી માગું છું: અમદાવાદના ભયાનક ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનું નિવેદન #AhmedabadAccident #Gujarat #BreakingNews pic.twitter.com/VkwsdqSur1
— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023
'મેં ઝાલીમ હત્યારા, યહાં ફૈલ ગયા મેરે હી મોતો કા જાલ', પોતાના જ ગીતમાં લખેલા એ શબ્દો
જાણો શું બની હતી સમગ્ર ઘટના?
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.
ઈસ્કોન બ્રિજ અકસ્માત: તથ્યને પોલીસ સ્ટેશન હાજર કરાયો, કઈ કલમો લગાવાઈ? વાંચો FIR
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે.. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ! એક જોડી ચંપલ- ટી-શર્ટમાં.... VIDEO
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે