જમીલ પઠાણ, છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓએ તલવાર વિતરણ કરી હોવાના ફોટો વાઈરલ થયો છે. સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ થયાં છે. ફોટામાં તલવારની સાથે કળશ અને પૂજાની સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળે છે.
જુઓ Live TV:-
છોટાઉદેપુર આદિવાસી વિસ્તારનાં ભોરદા ગામે નવાં ચૂંટાયેલા સાંસદ ગીતાબેન રાઠવાના સ્વાગત માટે સરપંચે આયોજીત કરેલા કાર્યક્રમમાં મોટી માત્રામાં તલવાર વિતરણ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. આદિવાસી સમાજમાં પૂજા વિધિ માત્ર બળવા ભૂવાઓ જ કરે છે અને તલવારનો ઉપયોગ કરે છે. આદિવાસી સમાજમાં તલવાર નહીં પરંતુ પાળીયાનું મહત્વ છે. ત્યારે આ આદિવાસી વિસ્તારના લોકોમાં તલવારનું વિતરણ ચર્ચાનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે