Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ એક જ મહિનામાં બેસી જતાં ચકચાર મચી ગઈ છે. જી હા, કૌભાંડીઓના કૌભાંડનો ફુગ્ગો પહેલા વરસાદમાં જ ફૂટી ગયો છે. એક મહિના પહેલાં સુરતના આ બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી ખુલ્લો મુક્યો હતો. પરંતું પહેલા વરસાદમાં જ વેડ-વરિયાવ બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. પહેલાં જ વરસાદમાં તંત્રની પ્રામાણિકતા અને ઈમાનદારીના ધજાગરા ઉડી ગયા છે. બ્રિજ સેલના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા છે. 118 કરોડ રૂપિયા કોના ખિસ્સામાં સમાયા તે એક મોટો સવાલ છે.
તો ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકને કૌભાંડના આ બ્રિજ અંગે એક્સક્લુઝિવ માહિતી હાથ લાગી છે. ઝી 24 કલાક કૌભાંડીઓના પાપનો ઘડો ફોડવા જઈ રહી છે. તો જુઓ જરા કોણ છે 118 કરોડ રૂપિયાનો આ બ્રિજ બનાવનારા કૌભાંડીઓ...
તો આ બ્રિજ આટલી બધી કસોટીમાંથી પાસ થઈને નીકળ્યો હોયસ, છતા કેવી રીતે 118 કરોડ રૂપિયાનો બ્રિજ એક જ મહિનામાં બેસી ગયો છે અને ફોરલેન બ્રિજ દોઢ કિલોમીટર લંબાઈ ધરાવે છે. મુખ્યમંત્રીએ એક મહિના પહેલાં આ બ્રિજ બનાવ્યો હતો. બ્રિજની લંબાઈ દોઢ કિલોમીટર છે. આ બ્રિજ ફોર લેન છે. જેને 8 લાખ લોકોને રાહત આપવા બ્રિજ બનાવ્યો હતો.
ભ્રષ્ટાચારના ભારમાં દબાયેલા ગુજરાતના અન્ય બ્રિજ
સુરતમાં 118 કરોડ રૂપિયાનો બ્રિજ બેસી ગયો છતાં અધિકારીઓને પૂછતા તેઓએ એવો જવાબ આપ્યો કે, આ કોઈ મોટી મેટર નથી. જાણે કે આ અધિકારીઓને લોકોના જીવની કોઈ પડી જ ન હોય તેવી રીતે તેઓ ઉડાઉ જવાબ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે