Home> Gujarat
Advertisement
Prev
Next

ઈઝરાયેલમાં પતિ રંગરેલિયા મનાવતો રહ્યો, અને સુરતમાં સાસરીમાં પરિણીતાનું થયુ રહસ્યમય મોત

Surat News : સુરતમાં પરિણીતાનું રહસ્યમય મોત, પતિ ઈઝરાયલથી છૂટાછેડા માટે દબાણ કરતો, છેલ્લે પિતાને કહેલું- સાસુએ કંઈ પીવડાવી દીધું છે

ઈઝરાયેલમાં પતિ રંગરેલિયા મનાવતો રહ્યો, અને સુરતમાં સાસરીમાં પરિણીતાનું થયુ રહસ્યમય મોત

Wife Suicide In Surat : સુરતમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો છે. ટૂંકી સારવાર બાદ પરિણીતાનુ મોત નિપજ્યું છે. ત્યારે તેના પરિવારે આરોપ મૂક્યો કે, પરિણીતાનો પતિ ઈઝરાયેલમાં અન્ય યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો હતો. તે ત્યાંથી દીકરી સાથે છૂટાછેડા માટે દબાણ કરતો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની 29 વર્ષીય પરણિતા મોનિકા ભંડેરીના લગ્ન છ વર્ષ પહેલા ટેનિશ વેંકરિયા સાથે થયા હતા. ટેનિશ વેંકરિયા ઈઝરાયેલમાં હીરાનો વેપાર કરે છે. મોનિકાએ અચાનક તેના પિતાને ફોન કરીને કહ્યુ હતું કે, મારા સાસુ-સસરા, બે નણંદ મને જીવવા નહીં દે, બધા મને મારી નાખશે. મારી સાસુએ મને કંઈ પીવડાવી દીધું છે કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. જેના બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જ્યાં સારવાર બાદ મોનિકાનું મોત થયુ હતું. 

આ પણ વાંચો : 

શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? આ પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ 

દૂધસાગર ડેરીનું મોટું એલાન, હવે ખેડૂત પોતાનો પાક ઘર બેઠા જ વેચી શકશે

જોકે, દીકરીના મોત બાદ પિતા શાંતિભાઈ ભંડેરીએ પતિ અને સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે, પતિ મોનિકાને કહેતો હતો કે તું મને ગમતી નથી. તેને અન્ય છોકરી સાથે અફેર હોવાથી છૂટાછેડા આપવા દબાણ કરી માનસિક ત્રાસ આપતો હતો. સાસુ પ્રવિણાબેન, સસરા મનસુખભાઈ, નણંદ પારુલ પાદરિયા અને નેહા સવાણી તેમજ નણદોઈ જસ્મીન પાદરિયા અને નિશાંત સવાણી પણ મોનિકાને છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપતા હતા.

વેરાવળમાં જાણીતા ડોક્ટરનો આપઘાત
વેરાવળના નામાંકિત સર્જન ડોક્ટર અતુલ ચગે ગળાફાસો ખાઇ જીવન ટુકાવ્યું. વેરાવળના એસટી વિસ્તારમાં તેમની હોસ્પિટલ આવેલ છે. તેઓએ કોઇ અગમ્ય કારણોસર ગળાફાસો ખાઇ આપઘાત કર્યો હતો. બનાવની જાણ સીટી પોલીસ ને થતા સીટી પી.આઇ એસ એમ ઇસરાણી તથા સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો. હતો. આ બનાવનુ કારણ અંકબંધ છે. પોલીસે તેમના પાસેથી સ્યૂસાઈડ નોટ કબજે કરી છે. સ્યૂસાઈડ નોટમાં બે વ્યક્તિને કારણે આત્મહત્યા કરવાનો ડોક્ટરે ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક સ્યૂસાઇડ નોટ વાયરલ થઈ છે. જેમા નારણભાઈ અને રાજેશભાઈના કારણે આત્મહત્યા કરવાનું લખાણ અને નીચે અંગ્રેજીમાં chug લખેલ છે. આ સ્યૂસાઈડ નોટ ડોક્ટરની સ્યૂસાઈડ નોટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ પણ વાંચો : 

સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ અને પત્નીના બીજે લફરાંનો વિચિત્ર કિસ્સો

અંધશ્રદ્ધાના આડમાં 2 માસના માસુમના શરીરે આપ્યા ડામ, માતાપિતા ભુવા પાસે લઈ ગયા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More