ઝી ન્યૂઝ/સુરત: આજે મધર્સ ડે અંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક નિવેદન આપ્યું છે. હર્ષ સંધવીએ ટ્વીટર પર ટ્વીટ કરીને તમામ માતાઓને શુભેચ્છા પાઠવી હતી. આજે હર્ષ સંઘવી અલથાણ ખાતે વિધવા વૃદ્ધ માતાઓને મળ્યા હતા અને 400 ગંગા સ્વરૂપ માતાઓને અનાજની કીટનું વિતરણ પણ કર્યું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ એક નિવેદન આપીને તમામ માતાઓનું દિલ જીતી લીધું હતું.
હર્ષ સંઘવીએ મધર્સ ડે અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, માતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને આજે ખરેખર શરમ આવવી જોઈએ. હર્ષ સંઘવીએ ભાર પૂર્વક દરેક માતાઓને જણાવ્યું હતું કે, તમામ માતાઓ મને પોતાનો દીકરો સમજે. સુરત શહેર તો દયાવાનોનું શહેર છે. પરંતુ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતાઓ રહેતી હોય એ શરમની વાત છે.
દરેક માતા મને પોતાનો દિકરો સમજે: @sanghaviharsh #ZEE24Kalak #MothersDay2022 pic.twitter.com/VoTsmmKbP0
— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2022
Many roles, one Identity
"Mother".Saluting the backbone of a family, strength of life, all the wonderful mother's, this #MothersDay. pic.twitter.com/XBw5MRXb4l
— Harsh Sanghavi (@sanghaviharsh) May 8, 2022
ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા! 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી!
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે એસી ગાડીમાં ફરતા લોકોના માતા-પિતા વૃદ્ધા આશ્રમમાં રહે છે. પરંતુ મારે તમામ લોકોને કહેવાનું છે કે, જેઓ માતા-પિતાને સાચવતા નથી તેમની સાથે દોસ્તી પણ રાખવી નહિ. આવા મિત્રોને તમારા કોઈ પણ પ્રસંગોમાં બોલાવવાનું બંધ કરો. એમને ખરેખર દિલથી શરમ આવે એવી પરિસ્થિતિ ઉભી કરો.
મહાઆંદોલનના એંધાણ: 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખથી વધુ કર્મચારીઓ સરકારને ભીંસમાં લેશે!
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મને આજે માતાઓના આશીવાર્દ જોઈએ છે. આ સાંભળીને કાર્યક્રમમાં દરેક માતાઓના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, હર્ષ સંઘવીના વક્તવ્ય સમયે કેટલીક મહિલાઓ રડી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે