Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં હાર્ટ એટેકથી આજે 3 યુવકોના મોત : બે યુવકોને ઊંઘમાં આવ્યું મોત, સવારે ઉઠ્યા જ નહિ

Sudden cardiac arrest : સુરતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત... આજે સુરતમાં હાર્ટ એટેકથી 3 લોકોના મોત.. બે યુવકોને રાતે ઊંધ્યા બાદ સવારે ઉઠ્યા જ નહિ 

સુરતમાં હાર્ટ એટેકથી આજે 3 યુવકોના મોત : બે યુવકોને ઊંઘમાં આવ્યું મોત, સવારે ઉઠ્યા જ નહિ

Heart Attack Death In Gujarat : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. યુવાઓ જ હાર્ટએટેકના મુખ્ય શિકાર બની રહ્યાં છે. આજે પણ સુરતમાં હાર્ટએટેકથી ત્રણ યુવકોના મોત થયા છે. 

ત્રણ યુવકોના મોત  
સુરતમાં હાર્ટ એટેકથી ત્રણ વ્યક્તિના મોત થયા છે. અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડનું હાર્ટ એટેકથી મોત થયું છે. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયુ હોવાનું સામે આવ્યું. તો પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. 38 વર્ષીય સંજય સહાનીને પણ ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તો વરાછા વિસ્તારમાં મહેશ ખાંબર નામના વ્યક્તિનું હાર્ટ એટેક મોત થયું છે. 

ગુજરાતમાં નકલીનો ખેલ : ખેડામાં નકલી હળદર અને ઘી બાદ નકલી ઈનોની ફેક્ટરી પકડાઈ

વરાછાના મહેશ ખાંબર રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. તેઓને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતું હોસ્પિટલમાં હાજર તબીબોએ મૃતક જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.  

પાંડેસરમાં 38 વર્ષીય સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. સંજયને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરરંતું હોસ્પિટલમાં હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી : અલ નિનોને કારણે શિયાળાને થશે મોટી અસર

હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ
હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ છે. હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ વધુ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેક એટલે હાર્ટની ધમનીઓ કામ કરતી બંધ થઇ જવી, હાર્ટ કેરેસમાં એકાએક સંપૂર્ણ હાર્ટ કામ કરતુ બંધ થઇ જવું. પાછલા કેટલાક સમયમાં લોકો ગરબા રમતા કે ક્રિકેટ રમતા એકાએક હાર્ટ કેરેસનો શિકાર બન્યા છે. તેથી હૃદય સંબંધી સમસ્યાથી બચવાં સ્ટ્રેસ ટાળવો જોઈએ. કામની વચ્ચે બ્રેક લેવું જોઈએ.

સુરત સામુહિક આપઘાત કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More