Home> Gujarat
Advertisement
Prev
Next

રથયાત્રામાં જડબેસલાક બંદોબસ્ત, ચહેરાઓની ચોકી કરશે આ ખાસ કેમેરો

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હવાઈ સુરક્ષા માટે હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જમીની હકીકત અને સર્વેલન્સ માટે ફેસ ડિટેક્ટર કેમરા પણ લગાવવામાં આવ્યા છે. પ્રથમ વખત આ પ્રકારનાની ટેકનોલોજી સાથેનો સર્વેલન્સનો ઉપયોગ રથયાત્રામાં દરમિયાન કરવામાં આવશે. જેથી આ રથયાત્રા પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની દ્રષ્ટીએ ઐતિહાસિક છે. 

રથયાત્રામાં જડબેસલાક બંદોબસ્ત, ચહેરાઓની ચોકી કરશે આ ખાસ કેમેરો

મૌલિક ધામેચા /અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હવાઈ સુરક્ષા માટે હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જમીની હકીકત અને સર્વેલન્સ માટે ફેસ ડિટેક્ટર કેમરા પણ લગાવવામાં આવ્યા છે. પ્રથમ વખત આ પ્રકારનાની ટેકનોલોજી સાથેનો સર્વેલન્સનો ઉપયોગ રથયાત્રામાં દરમિયાન કરવામાં આવશે. જેથી આ રથયાત્રા પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની દ્રષ્ટીએ ઐતિહાસિક છે. 

અમદાવાદના આ વિસ્તારમાં કોઇ મફત મકાન લેવા પણ તૈયાર નહોતું ત્યાં હવે મકાન લેવા થશે પડાપડી

આ કેમેરામાં 50 હજારથી પણ વધુ ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર શખ્સોનો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારે મંદિરમાં કે આસપાસ પ્રવેશ લેતાં ગુનાહિત માનસિકતા ધરાવતા કે પોકેટમાર શખ્સોને 9 સેકન્ડમાં કેમેરા દ્વારા ડિટેક્ટ કરવામાં આવશે. બાદમાં પોલીસ તુરંત જ સ્થાનિક હાજર પોલીસ જવાન સાથે કોઓર્ડિનેટ કરીને તેને ઝડપી લીધા બાદ તેની સામે કાયદેસર કાર્યવાહી કરશે. મહત્વનું છે કે હિસ્ટ્રીશીટર સિવાય પેરોલ ફ્લો અને જેલમાંથી ભાગી છૂટેલા આરોપીને પણ આસપાસ દેખાતાની સાથે જ પોલીસ તેમને પકડી કાર્યવાહી કરશે.

ઉભા ઉંટને મીઠુ ખવડાવે તેટલી ઉંમરના પ્રિન્સિપાલ મહિલા સાથે ફરાર થઇ ગયા અને પછી...

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવનાર છે. આ ઉપરાંત પેરામોટરિંગ દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે હવે ફેસ ડિટેક્શન કેમેરા અને અન્ય પોલીસ દ્વારા લગાવાયેલા સીસીટીવી સહિત તમામ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પોલીસ બંદોબસ્તને તોડવો લગભગ કોઇના માટે પણ શક્ય નથી. એક પ્રકારે કહી શકાય કે રથયાત્રામાં પવનને પણ પોલીસ પાસેથી પરવાનો લેવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More