Home> Gujarat
Advertisement
Prev
Next

હોળી માટે એસટી વિભાગ દોડવાશે વધુ બસ, ડાકોર-દ્વારકા જવા માટે કરાયું ખાસ આયોજન

Holi 2024 : હોળી પર ST વિભાગ 7000 ટ્રીપ વધારશે,,1500 જેટલી બસથી 7000 ટ્રીપનું કરાયું આયોજન,,, લોકોની મુસાફરી સરળ બને તે માટે ST વિભાગે કર્યું આયોજન,,, અમદાવાદ, રાજકોટ,અમરેલી, જૂનાગઢ, ભાવનગર તેમજ ભૂજ જેવા વિસ્તારોમાં દોડશે બસો

હોળી માટે એસટી વિભાગ દોડવાશે વધુ બસ, ડાકોર-દ્વારકા જવા માટે કરાયું ખાસ આયોજન

ST Bus : હોળી-ધૂળેટીનો તહેવાર હોઈ પર એસટી વિભાગે મુસાફરો માટે મોટું આયોજન કરાયું છે. આ તહેવાર માટે ખાસ 7 હજાર ટ્રીપ વધારે દોડાવશે. જેમાં 1500 જેટલી બસો દ્વારા 7 હજાર ટ્રીપનું આયોજન કરાયું છે. અલગ અલગ વિસ્તારોમાં સરળતાથી લોકો મુસાફરી કરી શકે તે હેતુથી આ વધારાની બસો દોડશે. અમદાવાદ, રાજકોટ,અમરેલી, જુનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં બસો દોડાવાશે. તો ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર સુધી બસો દોડશે. આ ઉપરાંત ડાકોર અને દ્વારકા માટે ઉપરાંત 500 બસો દોડશે.

ગુજરાત એસ. ટી. નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસોના કાફલાથી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ પરીવહનની સેવાઓ પુરી પાડે છે. નિગમ વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે.

દાદરા નગર હવેલીમાં એકહથ્થુ શાસન ધરાવતા ડેલકર પરિવારને ભાજપે આપી ટિકિટ

રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન જાવન કરે છે. આવા વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી/ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા ૧૨૦૦ જેટલી બસો દ્વારા ૪૫૧૬ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવશે.

આ ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે ૪૨૫ બસો દ્વારા ૩૫૧૮ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી  ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૫00 જેટલી બસો વડે ૭૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે. ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૫૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે. 

સડસડાટ દોડતી કારે બાઈક પર જઈ રહેલા ત્રણ મિત્રોને ટક્કર મારી, ત્રણેયના મોત

ગત એક જ અઠવાડિયામાં સુરત ખાતેથી ૧૦૧, વડોદરા ખાતેથી ૧૦૦, કલોલ ખાતેથી ૨૫ તેમજ નડાબેટ ખાતેથી ૧૦૦ મળી કુલ ૩૨૬ નવીન લોકાર્પિત કરેલ બસો સદર એક્સ્ટ્રા સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. નિગમ દ્વારા આ સંચાલન ૧૯ માર્ચ ૨૦૨૪ થી ૨૫ માર્ચ ૨૦૨૪ દરમ્યાન કરવામાં આવશે જે બાબતે નિગમના સક્ષમ સત્તાધિકારીશ્રીઓ દ્વારા તમામ જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓના વડાશ્રીઓ સાથે ૧૨ માર્ચ ૨૦૨૪ ના રોજ  ખાસ મીટીંગ યોજી એક્સ્ટ્રા સંચાલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. 

નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. તથા મુસાફરોને સંચાલન સબંધેની પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા વિનંતી.

ચોથા સ્ટેજના કેન્સરની પીડિત વિદ્યાર્થી આપી રહી છે બોર્ડની પરીક્ષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More