Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ જાતિના વિદ્યાર્થીઓની 6 લાખથી વધુની ફી સરકાર ચૂકવશે

Scholarship : અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લીધું હોય તો ફી રેગ્યુલેટિંગ કમિટીએ નક્કી કરેલી ફી મુજબ તેમને 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતું જો તેમની ફી 6 લાખથી વધુ હશે તો હવે વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે
 

ગુજરાતમાં આ જાતિના વિદ્યાર્થીઓની 6 લાખથી વધુની ફી સરકાર ચૂકવશે

SC Students : વધતી જતી ફી હવે વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે. દરેક ક્ષેત્રમાં ફીમાં એટલો વધારો ઝીંકાયો છે કે હવે સંતાનોને ભણાવવું મુશ્કેલ બની રહ્યું છે. આવામાં અનુસૂચિત જનજાતિના લોકોને ગુજરાત સરકાર દ્વારા ખાસ રાહત આપવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના લોકોને વધુ રકમની સ્કોલરશિપ અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 6 લાખથી વધુ ફી હશે તો એસટી જાતિના વિદ્યાર્થીઓની વધારીની ફી સરકાર ચૂકવશે. 

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લીધું હોય તો ફી રેગ્યુલેટિંગ કમિટીએ નક્કી કરેલી ફી મુજબ તેમને 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતું જો તેમની ફી 6 લાખથી વધુ હશે તો હવે વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. તેવી જાહેરાત આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર દ્વારા કરવામાં આવી છે. 

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એમબીબીએસ, એમએસ, એમડીના અભ્યાસક્રમો માટે વાર્ષિક 6 લાખ તથા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વાર્ષિક 1 લાખ રકમની ટોચની મર્યાદામાં સ્કોલરશિપની જોગવાઈ કરવામા આવી છે. તેથી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, ટોચ મર્યાદાની વધુ રકમની સ્કોલરશિપની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જે અભ્યાસમા 6 લાખ કરતા વધુ ફી હોય તેવા એસટી જાતિના વિદ્યાર્થીના કિસ્સામાં વધારાની રકમ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની વર્ષ 2010 થી એસટી જાતિના વિદ્યાર્થી માટે પોસ્ટ મેટરીક સ્કોલરશિપ યોજનાની ગાઈડલાઈન મુજબ, 2.50 લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવામા આવતી હતી. આ ઉપરાંત 1 એપ્રિલ, 2022 થી અમલી ગાઈડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્કોલરશીપની જોગવાઈ દાખલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More