Home> Gujarat
Advertisement
Prev
Next

સાબરકાંઠા: વિજયનગરની એક મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

વિજયનગરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી

સાબરકાંઠા: વિજયનગરની એક મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: વિજયનગરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠાના વિજયનગર પંચવટી ગામે એક મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરિવારજનોએ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ચોરીવાડ PHC સેન્ટર ખસેડી હતી પરંતુ ચોરીવાડ PHC માં તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

જો કે, વિજયનગર પોલીસ અને મામલતદારને આ ઘટના અંગે જાણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ અને ઇડરના મામલતદાર ટીમ સાથે પી.એચ.સી સેન્ટર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતક મહિલાનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલા મધ્યપ્રદેશની રહેવાસી હતી અને દોઢ વર્ષ અગાઉ પંચવટી ગામે પટેલ સમાજમાં તેના લગ્ન થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More