Rajkot Fire Tragedy : શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ધીરે ધીરે DNA ના રિપોર્ટ આવી રહ્યાં છે. જેમ જેમ DNA રિપોર્ટ આવે છે, તેમ મૃતદેહની ઓળખવિધિ કરીને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે ઉપલેટા અને ગોંડલના બે વ્યક્તિની ઓળખ બાદ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તો હજુ સિવિલ હોસ્પિટલ પર અનેક પરિવારો રિપોર્ટની રાહમાં છે.
એ 28 લોકો, જેઓ મોતેને ભેટ્યા છે, તેમના પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છે. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યાં છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા બની રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ DNA મેચ કરાવવાની જરૂર પડી હતી, એટલી ક્ષતવિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી. ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતું હાથમાં આવ્યા મૃતદેહો. જેમના પરિવારોને મૃતદેહો સોંપાયા છે, તે તમામ લોકોની આંખો ભીની હતી, પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈનો જીગરનો ટુકરો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળીને પરત ફર્યાં છે.
વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસર
પુત્રના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું, ગોંડલના સત્યપાલસિંહના DNA મેચ થતા પરિવારે વહેલી સવારે કર્યા અંતિમ સંસ્કાર....#Rajkot #Gondal #death #RajkotTRPGameZone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #Gujarat #ZEE24KALAK pic.twitter.com/IR0rzsfhC6
— Zee 24 Kalak (@Zee24Kalak) May 27, 2024
ગોંડલના સત્યપાલસિંહ જાડેજાડાના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં હવે મૃતકોના DNA સેમ્પલના રિપોર્ટ આવી રહ્યાં છે. હાલના અપટેડ અનુસાર, ત્રણ લોકોના DNA સેમ્પલ મેચ થયા છે. સત્યપાલસિંહ જાડેજા, સુનિલ હસમુખલાલ સિદ્ધપુરા, જિજ્ઞેશ કાળુભાઈ ગઢવીના DNA સેમ્પલ મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખરેડાના DNA મેચ થતા વહેલી સવારે પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભારે હૈયે સત્યપાલસિંહને વિદાય અપાઈ હતી. જાડેજા પરિવારના નાના દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં મૃતક યુવાન સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાના વહેલી સવારે કરાયા અંતિમસંસ્કાર #Gujarat #BreakingNews #Rajkot pic.twitter.com/vrkEu9ZrD9
— Zee 24 Kalak (@Zee24Kalak) May 27, 2024
કર્મચારી સુનિલભાઈના અંતિમ સંસ્કાર કરાયા
આજે DNA રિપોર્ટ બાદ પ્રથમ ઓળખ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલાભાઈની થઈ હતી. ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિધપુરાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સુનિલભાઈ પરિવારનું એકમાત્ર આધારસ્તંભ હતા. હજી 15 દિવસ પહેલા જ તેઓ ગેમઝોનમાં નોકરીએ લાગ્યા હતા. સુનિલભાઈ પોતે અન્ય લોકો બચવા કામગીરી માટે અંદર રહ્યા અને પોતે મોતને ભેટ્યા હતા. તેમના નિધનથી પરિવારમાં શોક લાગણી ફેલાઈ છે.
હાઈકોર્ટે અગ્નિકાંડમાં સરકારની ઝાટકણી કાઢી : 4 વર્ષમાં 6 મોટી ઘટના, તંત્રએ શું કર્યુ
અગ્નિકાંડને માનવસર્જિત ઘટના ગણાવી અને અક્ષમ્ય કહ્યું
મહત્વનું છે કે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અને તેમાં 28 જિંદગીઓ હોમાયાની ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધી છે. આ ઘટનાના અત્યંત ગંભીર ગણાવી કોર્ટે રવિવારે પણ સુનાવણી કરી હતી અને આજે ફરી આ કેસની સુનાવણી થઈ રહી છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ. દેસાઈની ખંડપીઠ સુનાવણી કરી રહ્યા છે. જે દરમિયાન તેમણે આ અગ્નિકાંડને માનવસર્જિત ઘટના ગણાવી અને અક્ષમ્ય કહ્યું. સાથે જ આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટે રાજ્યના અન્ય ગેમિંગ ઝોનને પણ જાહેર સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા છે.
આ સીસીટીવી ફૂટેજ છે રાજકોટ ગેમઝોન આગના પુરાવા, વેલ્ડીંગના એક તણખાએ વિનાશ નોતર્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે