Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં રાતે એકલા બહાર નીકળતા નહિ : દીપડાના ડરથી વન વિભાગે આપી ચેતવણી

Leopard In Rajkot : રાજકોટવાસીઓ ચેતજો! આ વિસ્તારોમાં દીપડાની દહેશત: રાત્રે એકલા નીકળવું નહીં, વાડી કે ખુલ્લા પટમાં સૂવું નહીં...

રાજકોટમાં રાતે એકલા બહાર નીકળતા નહિ : દીપડાના ડરથી વન વિભાગે આપી ચેતવણી

Rajkot News : રાજકોટની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તાર સુધી દીપડો પહોંચી ગયો છે. રાજકોટ શહેરની ત્રણ અલગ અલગ જગ્યા ઉપર દીપડાએ દેખા દીધી છે. આ દીપડો હજી પકડાયો નથી. દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મુકવામાં આવ્યા છે. વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિ અને કણકોટ પાસે દીપડાએ દેખા દીધી છે. ત્યારે વનવિભાગે કણકોટ આસપાસ 2 સ્થળે પાંજરા મુક્યા છે. પરંતું વન વિભાગે રાજકોટવાસીઓને સાવધાની રાખવા ચેતવણી આપી છે. રાત્રિના સમયે એકલા ન નીકળવા સલાહ આપી છે. તેમજ વાડી વિસ્તારમાં નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત રાત્રિના વાડી કે ખુલ્લા પટમાં એકલા ન સૂવાની સલાહ આપી છે. 

10 દિવસથી કવાયત છતા હજુ દીપડો પકડાયો નથી 
રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ છે. દીપડાના વાવડ મળી રહ્યા છે, પણ સગડ નથી મળતા. 10 દિવસથી કવાયત છતા હજુ દીપડો પકડાયો નથી. 10 દિવસથી દીપડો વન વિભાગની ટીમને હંફાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા રોજરોજ લોકેશન આપવામાં આવે છે પરંતુ દીપડાની ભાળ નથી મળતી. 

નસીબ વાકું નીકળ્યું આ ગુજરાતીઓનું, 80 લાખ ખર્ચીને અમેરિકા તો ન જ પહોંચ્યા!

રાજકોટની ભાગોળે વાગુદળમાં 10 દિવસથી દીપડાનો ધામો
ગામના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ છે અને રાત્રે વન વિભાગ પણ પહોંચી જતા સગડના આધારે દીપડાની ખોજ શરૂ કરી છે.વાગુદળમાં સ્મશાન પાસે જ મિયાવાકીથી વૃક્ષારોપણ કરાયું છે, તે મિયાવાકી પ્લાન્ટેશન બાદ ગાડા માર્ગ આવે છે ત્યાંથી ગામના કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે 7 વાગ્યાના સમયે તેમના વાહનથી 10 ફૂટ દૂર જ દીપડો રસ્તો ઓળંગતો દેખાયો હતો. જેથી ગ્રામજનો એ તુરંત જ સરપંચ મુકેશભાઇ સહિતનાઓને જાણ કરી હતી. જેને લઈને વન વિભાગ સક્રિય થયું હતું. 

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 2024 ની શરૂઆત વરસાદ સાથે થશે, એ પણ કરા સાથે

રાત્રીના સમયે જ દીપડો સૌથી વધુ સક્રિય થતો હોઇ સરપંચ તેમજ વન વિભાગના સ્ટાફ સહિતનાઓએ દીપડાનું લોકેશન મેળવવા પ્રયત્ન કર્યો હતો. અને દીપડો મળ્યા બાદ રેસ્ક્યુ ની કામગીરી પણ કરાવામાં આવશે જેથી ગ્રામ જનો ને કોઈ સમસ્યા ન થાય. મીડિયા સાથે ની વાતચીતમાં DCF તુષાર પટેલ એ જણાવ્યું કે દીપડા ને લઈને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી દીપડા ની રેસ્ક્યુની કામગીરી ન થાય ત્યાં સુધી ગામ લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર જેથી કોઈ અઘટિત ઘટના ન બને.

ફ્રાન્સમાં ફસાયેલા 276 મુસાફરો પરત ભારત ફર્યા, કેટલાક પરત આવવાનો કર્યો ઈન્કાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More