Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ : દંપતિએ કરી આત્મહત્યા, અપનાવ્યો વાંચીને જીવ બળી જાય એવો નુસખો

આ દંપતીના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. હાલ તેમના આપઘાત (Suicide) પાછળનાં ચોક્કસ કારણ અંગે તપાસ થઇ રહી છે.

રાજકોટ : દંપતિએ કરી આત્મહત્યા, અપનાવ્યો વાંચીને જીવ બળી જાય એવો નુસખો

રાજકોટ : રાજકોટ (Rajkot)ની રાજમોતી સોસાયટીમાં રહેતા પતિ-પત્નીએ ઝેરી દવા પીને આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક પતિ અશોકભાઇ પાંભર અને પત્ની પ્રભાબેન પાંભર ઇમિટેશન જ્વલેરીનાં વેપાર સાથે સંકળાયેલા હતા. હાલ, સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રજાઓમાં નડાબેટ ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ જાણી લો લેટેસ્ટ અપડેટ

બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો તો પ્રભાબેનનો મૃતદેહ બહાર પડ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઘરની સ્થિતિ જોઇને માનવામાં આવી રહ્યું છે કે, જ્યાં બધી વસ્તુઓ પડી છે ત્યાં જ બેસીને પતિ પત્નીએ ઝેરી દવાને ડોલનાં પાણીમાં ઉમેરી હોવી જોઇએ અને ત્યાં જ પીધી હોય એવી સંભાવના છે. 

મેદાનમાં પાણી બતાવવા સૌરાષ્ટ્રની ટીમ વહાવી રહી છે પરસેવો

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, પતિ અને પત્નીનાં એકસાથે આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોઈ શકે છે. હાલ તો પોલીસ પણ ચોક્કસ કારણ જાણવા ઘરની ઝીણામાં ઝીણી વિગતો તપાસી રહી છે. સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ દંપતીના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. હાલ તેમના આપઘાત (Suicide) પાછળનાં ચોક્કસ કારણ અંગે તપાસ થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More