નર્મદાઃ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરાશે. ત્યારે વડાપ્રધાન મોદી તેના માટે ગુજરાત આવી રહ્યા છે. અંદાજીત સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોદી કેવડિયા પહોંચશે. વડોદરા ઉતરાણ કરીને તેઓ સીધા કેવડિયા પહોંચે તેવી શક્યતા છે. જ્યાં સહુ પ્રથમ તેઓ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. વેલી ઓફ ફ્લાવરની મુલાકાત બાદ ટેન્ટ સિટીની તેઓ મુલાકાત લેશે. આ
બન્ને સ્થળોએ આશે 15 થી 20 મિનિટ સુધી તેઓ નિરીક્ષણ કરશે. ટેન્ટ સિટીની મુલાકાત બાદ મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. જે મુખ્ય કાર્યક્રમ આશરે 1 કલાકનો રહેશે.
મુખ્ય કાર્યક્રમ બાદ તેઓ પ્રતિમા તરફ રવાના થશે. પ્રતિમા તરફ જતા રસ્તાની બન્ને બાજુએ જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. પ્રતિમા પાસે પહોંચીને પીએમ મોદી વોલ યુનિટીનું લોકાર્પણ કરશે અને સરદાર પટેલની પ્રતિમાના દર્શન કરીને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ એક્ઝિબિશનની મુલાકાત લેશે. જ્યાં નિરીક્ષણ બાદ લિફ્ટ મારફતે વ્યૂઈંગ ગેલેરી પહોંચશે. વ્યૂઈંગ ગેલેરીમાંથી આસપાસનો ભવ્ય નજારો જોશે. પીએમ મોદીનો આ સંપૂર્ણ કાર્યક્રમ આશરે 3 કલાકનો રહેશે.
વડાપ્રધાન મોદીનો 31 ઓક્ટોબરનો સંપૂર્ણ કાર્યક્રમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે