Home> Gujarat
Advertisement
Prev
Next

રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત પહોંચ્યા, વિધાનસભા ગૃહમાં તેમની બેઠક વ્યવસ્થા રાજાની જેમ સજાવાઈ

રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત પહોંચ્યા, વિધાનસભા ગૃહમાં તેમની બેઠક વ્યવસ્થા રાજાની જેમ સજાવાઈ
  • ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

હિતલ પારેખ/ગાંધીનગર :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે તેઓ ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. તો આવતીકાલે જામનગરમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરશે. ત્યારે તેમના આગમન ટાંણે વિધાનસભા ગૃહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. ગૃહમા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ ત્રણે સાથે બેસશે. જેથી ત્રણ ખુરશી રાખવામાં આવી છે. અલગ અલગ કલરના ફુલોથી બેસવાની જગ્યા શણગારાઈ છે. સાથે જ રાષ્ટ્રપતિની રંગોળી પણ બનાવાવમાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કચ્છની શૈલીમાં તૈયાર થયેલી ભેટ આપવામા આવશે. વિધાનસભા અધ્યક્ષ ડો નિમાબેન આચાર્ય દ્વારા કચ્છની શૈલીમા તૈયાર થયેલું ચિત્ર રાષ્ટ્રપતિને ભેટ આપશે. તેના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરની પણ મુલાકાત લેશે. 

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું
fallbacks

ગુજરાત પહોંચ્યા બાદ સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજભવન પહોંચશે. જ્યાં સવારે 10.50 કલાકે ગુજરાત વિધાનસભા પહોંચશે. સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ વિધાનસભામાં 15-20 મિનિટ સુધી સંબોધન રહેશે. જેના બાદ આવતીકાલે 25 માર્ચે અમદાવાદથી જામનગર જવા રવાના થશે. જ્યાં તેઓ INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરાશે. 150 જવાનો રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે. તેના બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. 

આ પણ વાંચો : અડીખમ ગુજરાત, 3 શક્તિશાળી સુનામીનો સામનો કરી ચૂક્યુ છે રાજ્ય, રિસર્ચમાં થયો ખુલાસો 

INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે
ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે

પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે જેમને 27 મે 1951 ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 

1942 માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ ૮૦ વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More