મુંબઈ : આ વર્ષે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ દિવસથી દેશમાં ગણેશોત્સવની શરુઆત થશે. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે.
આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. આ દિવસો દરમિયાન ગણપતિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ફાયદો થાય છે પણ જો અમુક નિયમોનું પાલન કરવામાં ભુલચુક થઈ જાય તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.
ગણપતિની પૂજા કરતી વખતે 10 વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે