ગૌરવ પટેલ/અમદાવાદ: લોકસભાની ચુટણીની જાહેરાત અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસ કરશે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે 4 અને 5 ફેબ્રુઆરીએ પીએમ મોદિનાં ગુજરાતના અમદાવાદ, જામનગર, ભાવનગર અન તાપીના લોકાર્પણ અને શીલાન્યાસના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડશન મંદિર ભુમિપૂજન કરશે અને અડાલજ અન્નપુર્ણા મંદિરનુ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત ભાવનગર ખાતે 5 માર્ચે સૌની યોજનાનો કાર્યક્રમ થકી બે ડેમોમાં પાણી ભરવાની શરૂઆત કરાવશે.
અમદાવાદમાં 5એ શ્રમિક યોજનાઓનો રાષ્ટ્રીય કાર્યક્રમ માનધન યોજનાની શરૂઆત નિકોલથી કરાવશે. ગુજરાતમાં ભાજપ પાસે અનેક નેતાઓએ હોવા છતાં મોદીના ચુટંણી અગાઉ આટલા બધા કાર્યક્રમ અંગે પુછતાં જીતુ વાઘાણીએ કહ્યું કે, તેમને નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર ગર્વ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે