Home> Gujarat
Advertisement
Prev
Next

મોદી સરકાર ગુજરાત પર વરસ્યા! 1097.59 કરોડના બે નવા પ્રોજેક્ટની આપી સૌથી ભેટ

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં એક સાથે ૧૯ રાજ્યોમાં, ૯૭ હજાર ૩૨૮ કરોડ રૂપિયાના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગુજરાતને ૧ હજાર ૫૭૫ કરોડ રૂપિયાના ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ મળી છે.

મોદી સરકાર ગુજરાત પર વરસ્યા! 1097.59 કરોડના બે નવા પ્રોજેક્ટની આપી સૌથી ભેટ

ઝી બ્યુરો/ગાંધીનગર: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતના રોડ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન મોટો બ્રિજ અને નેશનલ હાઈવે નંબર-૫૮ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરી માટે કેન્‍દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ગુજરાતમાં ભાજપને ક્લિનસ્વીપ! કોંગ્રેસ હારશે નહીં પણ ભાજપ જીતશે, આવ્યો નવો સરવે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં એક સાથે ૧૯ રાજ્યોમાં, ૯૭ હજાર ૩૨૮ કરોડ રૂપિયાના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગુજરાતને ૧ હજાર ૫૭૫ કરોડ રૂપિયાના ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ મળી છે. કેન્‍દ્ર સરકારે પાછલા દસ વર્ષમાં ગુજરાતમાં ૬૬ હજાર ૪૭૦ કરોડ રૂપિયાના ૩૮૯૨ કિલોમીટરના ૧૯૯ જેટલા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. હવે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટના ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયાના કામોને આજે મંજૂરી આપી છે. આ બે પ્રોજેક્ટ પૈકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૮ પર ધરોઈ ગામ ખાતે ધરોઈ ડેમ પાસે નવીન ચાર માર્ગીય મોટા પુલના બાંધકામની કામગીરી ૩૯૮.૪૦ કરોડના ખર્ચે કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. 

ઓપિનિયન પોલમાં NDA ની ધૂમ, રામ મંદિર પર શું વિચારે છે જનતા એ ખાસ જાણો

ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો નિર્માણ થનારો આ મોટો બ્રિજ હાલના સાબરમતી નદીના પટમાં હયાત લો લેવલ કોઝવેની જગ્યાએ નવીન ગ્રીનફિલ્ડ અલાઈમેન્ટમાં ફૂટપાથ સહિતનો ચાર માર્ગીય બ્રિજ બનશે. તે ઉપરાંત આ પ્રોજેક્ટમાં ૨ વ્હીકલ અંડરપાસ, ૩ નાના પુલ અને ૪ નાળાની બાંધકામની કામગીરી પણ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ પર ધરોઈ ડેમ પાસે હયાત લો લેવલ કોઝવે ડૂબમાં જતો હોવાના કારણે અંદાજે ૧ માસ સુધી વડાલી-સતલાસણા રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. 

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામશે ટક્કર? કોણ બનશે દેશમાં નંબર

હવે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ નવા ફોર લેન બ્રિજની મંજૂરી મળતા તેનું બાંધકામ થયેથી વાહન ચાલકોની આ સમસ્યાનો હલ આવશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની  પ્રેરણાથી રાજ્ય સરકારે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં શરૂ કરેલી કામગીરી પણ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે.

લાખો કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, DA બાદ હવે સેલેરીમાં 17% વધારો 

ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જોડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.

ગુજરાતમાં કોંગ્રેસના આ 7 ઉમેદવારો બની શકે છે લોકસભાના ઉમેદવાર, જાહેર કરી શકે છે નામ

આ ઉપરાંત કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ પર ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના કુલ ૫૬.૬૨૦ કિ.મી. રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી માટે રૂ. ૬૯૯.૭૯ કરોડ મંજુર કરવામાં આવેલા છે. તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. જે ૫૬.૬૨૦ કિલોમીટરના રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી થવાની છે તે પૈકી રાજસ્થાન સરહદ પાસેના ખોખરા ગામથી વિજયનગર વચ્ચેનો ૧૧.૫૦૦ કિ.મી. હયાત ૩.૭૫ મીટરનો એકમાર્ગિય રસ્તો છે. તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારાધોરણ મુજબ ૧૦.૦૦ મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે. વિજયનગર, આંતરસુબા, અને માથાસુર ચોકડીને જોડતા હયાત ૪૫.૧૨૦ કિલોમીટર લંબાઈના ૭ મીટર રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણ મુજબ ૧૦.૦૦ મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે.

આ તે કેવું મોત? બળતી ચિતા પર જઈને પડ્યો બાઈક સવાર, જીવતો ભૂંજાઈ ગયો

આ પ્રોજેક્ટમાં ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના હયાત રસ્તામાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખુબ જ વધુ પ્રમાણમાં તીક્ષ્ણ વળાંક આવે છે અને તેને કારણે વાહન ચાલકોને વાહન વ્યવહારમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અકસ્માતનો પણ ભય રહે છે. આ સમસ્યાના નિવારણ માટે પ્રોજેક્ટમાં કુલ ૧૪ જગ્યાએ હાલમાં સ્થિત તીક્ષ્ણ વળાંકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણો મુજબના કરવા રી-અલાઈમેન્ટ કરવાની કામગીરીનો અને ૫ મોટા પુલ, ૨૯ નાના પુલ, ૧૦૫ નાળા સહિત પાનોલ ગામ પાસે નવીન રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.

અમદાવાદ PI ખાચરના વટાણા વેરાઈ ગયા: પ્રેમનો ઈન્કાર ભારે પડ્યો, હવે છે આ વિકલ્પ

આ પ્રોજેક્ટને પરિણામે વિવિધ ગ્રામજનોના સામાજિક-આર્થિક પરિમાણને વેગ મળશે તેમજ ઉદયપુર, પોલો ફોરેસ્ટ અને અંબાજી મંદિર જેવા જાણીતા પ્રવાસન અને યાત્રાધામોને જોડતા આ માર્ગથી ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ના વડાલી, ધરોઈ અને સતલાસણા રસ્તાની ડી.પી.આર.ની કામગીરી પણ પ્રગતિમાં છે તેના અપગ્રેડેશનની કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ના માથાસુર થી વડાલી અને સતલાસણા થી ખેરાલુ રસ્તાને ફોર લેન કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે.

ગુજરાતની 4 બેઠક પર કયા નામ રેસમાં સૌથી આગળ? આમને લાગી શકે છે લોટરી

ઉપરાંત, આ પ્રોજેક્ટ પરના ગામોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, તેથી વિવિધ કૃષિ, ડેરી અને ઔદ્યોગિક ઉત્પાદનોના માલ પરિવહનમાં વૃદ્ધિ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More