ઝી મીડિયા/બ્યૂરો :મોરેશિયસ અને બ્રિટનના પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોરેશિયસના પીએમ પ્રવીદ જુગનાથ આજે રાજકોટમાં રોડ શો કરશે. સાથે જ તેઓ પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તો બ્રિટેનના પીએમ બોરિસ જોનસન પણ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલી વાર નથી કે વૈશ્વિક નેતાઓ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાત પણ આવી રહ્યા છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન આ પહેલા અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષો ગુજરાત આવી ચુક્યા છે. ગુજરાતને ગ્લોબલ બનાવવાનો પીએમ મોદીનો પ્રયાસ છે. ત્યારે જોઈએ અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રાધ્યક્ષો પીએમ મોદીના વતન ગુજરાત આવી ચુક્યા છે.
અત્યાર સુધી આટલા રાષ્ટ્રપ્રમુખો આવ્યા ગુજરાત
આજથી ત્રણ દિવસ આવનારા અન્ય વૈશ્વિક નેતા
પીએમ મોદીના વડાપ્રધાન પદના બિરાજમાન થતા જ ભારત આવનારા તમામ વૈશ્વિક નેતાઓ લગભગ ગુજરાત આવ્યા છે. તેમનુ ગુજરાતમાં જોરશોરથી સ્વાગત થાય છે. ત્યારે જ્યારે જ્યારે વૈશ્વિક નેતાઓ ગુજરાતમાં આવે છે ત્યારે ત્યારે ચર્ચાઓ વેગ પકડે છે કે, આખરે પીએમ મોદી વિદેશી નેતાઓને હંમેશા ગુજરાત જ કેમ લઈ જાય છે. પીએમ મોદીના વડાપ્રધાન પદ આવ્યા બાદ અનેક વૈશ્વિક નેતા ભારત પ્રવાસે આવ્યા છે, જેમાં મોટાભાગના ગુજરાત તથા વારાસણી ગયા છે. જેનુ એક કારણ એ પણ છે કે, ગુજરાત પીએમ મોદીનુ ગૃહ રાજ્ય છે, તથા બનારસ તેમનુ સંસદીય ક્ષેત્ર છે. તેથી તેઓ આ બે સ્થળોને અચૂક મુલાકાત કરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે