અમદાવાદ :જામનગરમાં જંગી સભાને સંબોધીને પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા છે. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1275 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. એને લઈને તંત્ર દ્વારા તમામ તૈયાર કરી દેવામાં આવી છે.
પીએમ મોદીએ ગુજરાતના કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા. સંબોધનમાં તેમણે કહ્યું કે, આપણું સિવિલ હોસ્પિટલ નાનકડું ગામ જેવું છે. સેવાના કામને આગળ વધારવા માટે તમામને શુભેચ્છા પાઠવુ છું. દુનિયાની સૌથી બેસ્ટ ટેકનિક, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર અમદાવાદ, ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શક્તા, તેઓ માટે આ સરકારી હોસ્પિટલ સેવા માટે તૈયાર રહેશે. આજે મેડિસિટી કેમ્પસ પણ તૈયાર થઈ ગયું છે. યુએન મહેતા હોસ્પિટલ ઓફ કાર્ડિયોલોજીની સુવિધાઓ વધી રહી છે. દેશનું પહેલુ સરકારી હોસ્પિટલ છે, જ્યાં સાઈબર નાઈફ જેવી ટેકનિક ઉપલબ્ધ છે. હું તમામ ગુજરાતવાસીઓને આ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા આપું છું.
આ પણ વાંચો : આઘાતજનક સમાચાર, ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટરનું નિધન
તેમણે કહ્યું કે, આજે ગુજરાતનો કોઈ મુકાબલો નથી. ગુજરાતમાં પાણી, વીજળી, કાયદા વ્યવસ્થાની સ્થિતિ બધુ જ સારું છે. અહી સબકા સાથ સબકા પ્રયાસવાળી સરકાર મળીને કામ કરે છે. અમદાવાદમાં સ્વાસ્થય સાથે જોડાયેલી નવી સેવાઓએ ગુજરાતને નવી ઓળખ આપી છે. મેડિસિટીમાં ગુજરાતના લોકોને સારું સ્વાસ્થય મળશે. ટોપ મેડિકલ ફેસિલિટી હવે ગુજરાતમાં આવી રહી છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી છે. આ વાત સરકાર પર પણ લાગુ પડે છે. જો સરકારનું મન સ્વસ્થ ન હોય તો રાજ્યનો સ્વાસ્થ્ય ઢાંચો નબળો બને છે. ગુજરાતે અનેક વર્ષો આ પીડા સહન કરી છે.
આ પણ વાંચો : રંગ રાખ્યો આજે કાઠિયાવાડે... પીએમ મોદીએ આવું કહેતા જ જામકંડોરણાની સભા ગુંજી ઉઠી
પીએમ મોદી બોલ્યા કે, ભ્રષ્ટાચાર પર કાતર ફેરવવી એ મારી સર્જરીનો પ્રકાર છે. અમે સંવેદનશીલતા સાથે કામ કર્યું. લોકોની વચ્ચે જઈને તેમની તકલીફ જાણી. ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે જે પશુઓ માટે પણ હેલ્થ કેમ્પ લગાવે છે. મારા ગુજરાતમાં પશુઓની ડેન્ટલ, આઈ ટ્રીટમેન્ટ થાય છે. જી20 સમિટમાં મેં કહ્યુ હતું કે, જ્યાં સુધી અમે વન અર્થ વન હેલ્થ મિશન પર કામ નહિ કરીશું, તો ગરીબોની કોઈ મદદ નહિ કરે. અનેક દેશોમાં ગરીબોને વેક્સીન મળી તો મને દર્દ થતુ હતું. ત્યારે અમે દુનિયામાં વેક્સીન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી દુનિયામાં કોઈ મરવુ ન જોઈએ. જ્યારે મનથી પ્રયાસ કરાય તો પરિણામ પણ બહુઆયામી મળશે. આ જ ગુજરાતની સફળતાનું મંત્ર છે. શિક્ષા અને સ્વાસ્થય વર્તમાન નહિ, પરંતુ ભવિષ્યની દિશા પણ નક્કી કરે છે. મહામારીમાં આ જ હોસ્પિટલો સૌથી મહત્વના બની ગયા.
PM મોદી સુવિધાઓના લોકાર્પણ કરશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે