Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: નવચંડી મહાયજ્ઞમાં દરેક પાટીદાર પરીવાર પાસેથી મુઠ્ઠી ઘઉં- ચમચી ઘી ઉઘરાવાશે

સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1 માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજનાં લોકો સુધી આ સંદેશ પહોંચાડવાવામાં આવશે. સમગ્ર ઉત્સવ પહેલા પાટીદારોનાં ઘરે ઘરે જઇને આમંત્રિત કરવામાં આવશે. ઉપરાંત તમામનાં ઘરેથી લઘુત્તમ એક મુઠી ઘઉ અને એક ચમચી ઘી લેવામાં આવશે. આ સામગ્રી માંથી જ માતાજીની જુવારવાની લાપસી તૈયાર કરવામાં આવશે. આ પ્રસાદી જ દરેક પાટીદાર પરીવારને પીરસવામાં આવશે. આ પ્રસાદી સાચા અર્થમાં દરેક ઘરેથી આવેલા ઘઉની લાપસી તૈયાર કરાશે.

સુરત: નવચંડી મહાયજ્ઞમાં દરેક પાટીદાર પરીવાર પાસેથી મુઠ્ઠી ઘઉં- ચમચી ઘી ઉઘરાવાશે

સુરત : સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1 માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજનાં લોકો સુધી આ સંદેશ પહોંચાડવાવામાં આવશે. સમગ્ર ઉત્સવ પહેલા પાટીદારોનાં ઘરે ઘરે જઇને આમંત્રિત કરવામાં આવશે. ઉપરાંત તમામનાં ઘરેથી લઘુત્તમ એક મુઠી ઘઉ અને એક ચમચી ઘી લેવામાં આવશે. આ સામગ્રી માંથી જ માતાજીની જુવારવાની લાપસી તૈયાર કરવામાં આવશે. આ પ્રસાદી જ દરેક પાટીદાર પરીવારને પીરસવામાં આવશે. આ પ્રસાદી સાચા અર્થમાં દરેક ઘરેથી આવેલા ઘઉની લાપસી તૈયાર કરાશે.

અરવલ્લીમાં સરપંચે જળ સમાધિની કરી માંગણી: સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
ઉપરાંત આ લાપસી દ્વારા સંયુક્ત પરિવારની ભાવનાને પણ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખોડલધામનાં નિર્માણ માટે એકવાર જગ્યા એટલે કે 5 હજાર રૂપિયાનું દાન સ્વિકારાશે. નાનામોટાનો કોઇ ભેદભાવ ન થાય તે માટે દરેક પરિવાર પાસેથી 5 હજાર રૂપિયા જ ઉઘરાવાશે ન ઓછા કે ન વધારે. આવા પરિવારોને યજ્ઞમાં પણ બેસાડવામાં આવશે. આ દાન આપનારા તમામ પરિવારોનું સન્માન પણ કરવામાં આવશે. ત્યાર બાદ તેમની પાસે સંકલ્પ લેવડાવવામાં આવશે કે તેઓ પોતાની નીચે બીજા પરિવારોને પણ જોડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More