Home> Gujarat
Advertisement
Prev
Next

અંકલેશ્વરમાં માતાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મૂક્યું, ઘટનામાં ત્રણેયના મોત

એક દીકરી અને એક દીકરા સાથે આત્મહત્યા કરનાર મહિલા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી હતી. અને અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામના ગોપાલનગર વિસ્તારમાં રહેતી હતી.

અંકલેશ્વરમાં માતાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મૂક્યું, ઘટનામાં ત્રણેયના મોત

અંકલેશ્વરઃ અંકલેશ્વર ગરીબ નવાજ મસ્જિદની સામે રેલ્વે ઉપર સુરતથી વડોદરા તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે એક મહિલાએ બે બાળકો સહિત પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં 19 IPS સહિત 32 Dyspની બઢતી સાથે બદલી

મહિલાએ બે બાળકો સાથે આત્મહત્યા કરતા આસપાસના વિસ્તારના લોકો રેલવે ટ્રેક પર એકત્ર થઇ ગયા હતા. અને તેઓએ તુરંત પોલીસને જાણ કરી દીધી હતી. એક દીકરી અને એક દીકરા સાથે આત્મહત્યા કરનાર મહિલા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી હતી. અને અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામના ગોપાલનગર વિસ્તારમાં રહેતી હતી. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી દીધી છે. તે હજુ સુધી જાણી શકાયુ નથી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More