Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં વધુ એક નબીરાનું મોટું કારસ્તાન! પુરપાટ ઝડપે કિશોરીને લીધી અડફેટે, કરૂણ મોત

ફોરચ્યુનર કિશોર કાર ચાલકે અક્સ્માત સર્જતા સગીરાનું મોત થયાનું સામે આવ્યું છે. ગઇ તારીખ 31મી મેની સાંજે થલતેજ વિસ્તારના આવેલ સાંદિપની સોસાયટી નજીક એક ફોરચ્યુનર કાર ચાલકે 16 વર્ષીય સગીરા દીપા પ્રજાપતિને હડફેટે લીધી હતી. 

અમદાવાદમાં વધુ એક નબીરાનું મોટું કારસ્તાન! પુરપાટ ઝડપે કિશોરીને લીધી અડફેટે, કરૂણ મોત
Updated: Jun 02, 2024, 04:25 PM IST

ઉદય રંજન/અમદાવાદ: થલતેજ વિસ્તારમાં ફોરચ્યુનર કિશોર કાર ચાલકે અક્સ્માત સર્જતા સગીરાનું મોત થયાનું સામે આવ્યું છે. ગઇ તારીખ 31મી મેની સાંજે થલતેજ વિસ્તારના આવેલ સાંદિપની સોસાયટી નજીક એક ફોરચ્યુનર કાર ચાલકે 16 વર્ષીય સગીરા દીપા પ્રજાપતિને હડફેટે લીધી હતી. 

આજે એક્ઝિટ પોલના બીજા દિવસે PM મોદીની 7 બેઠકો, ફાઈનલ થશે આગામી 100 દિવસનો એજન્ડા

દીપા પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફોરચ્યુનર ચાલક કિશોર અવસ્થાનો હતો અને હેબતપુર વિસ્તારમાં જ રહે છે અને છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારે સ્પીડમાં કાર ચલાવતો હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે ટ્રાફીક પોલીસે કિશોર કાર ચાલકના ભાઈ અને પિતા સામે પણ ફરિયાદ નોંધી છે. 

Silver Gold Price Update: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો

ટ્રાફીક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે ફોરચ્યુનર કારથી અક્સ્માત સર્જાયો છે તે માટે કિશોર કાર ચાલકમાં ભાઈ નિલેશ ભરવાડની હતી. ત્યારે ટ્રાફીક પોલીસે કિશોર અસ્વથાના સગીરને ડ્રાઈવિંગ લાઇસન્સ વગર કાર આપવા બદલ પિતા ગોવિંદ ભરવાડ અને ભાઈ નિલેશ ભરવાડ પર પણ ગુનો નોંધીને ધરપકડ કરવાનો તજવીજ હાથ ધરી છે. 

Exit Polls માં ફરી મોદી સરકાર! એક્સપર્ટે તમારા માટે સિલેક્ટ કર્યા 3 ધમાકેદાર શેર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે