Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા

Surat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
 

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા

Surat News સુરત : સ્માર્ટ સિટી સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના બની છે. સુરતના જહાગીરપુરામાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ ઊઠ્યા નહીં. સવારે પરિવારના ચાર સભ્યોના મૃતદેહો ઘરમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ તપાસ શરૂ કરાઈ છે. 

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, મોત પાછળનું સાચુ કારણ હજુ બહાર નથી આવ્યું. પરંતું ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે.

 

 

મોતને ભેટનાર પરિવાર મૂળ ભાવનગરનો રહેવાસી છે. પરિવારના સદસ્યો આ ઘટનાને ફૂડ પોઇઝનિંગ ગણાવી રહ્યા છે. પરિવારજનોએ કહ્યું કે, રાત્રિ દરમિયાન 20 લોકોએ ભોજન લીધું હતું. બધાએ દાળ-ભાત, શાકનું ભોજન લીધું હતું. જેમાં 4 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની આશંકા છે. 

મૃતકોના નામ

  • હીરાભાઈ સોલંકી
  • શાતુબેન વાઢેર
  • ગૌઉ બેન
  • જસુબેન

(વધુ માહિતી અપડેટ થઈ રહી છે) 

ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More