Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં જીતવું હોય તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી થવું પડે, ઘરના અમીચંદોને કારણે કોંગ્રેસની હાર થઈ

Gujarat Congress : કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે

ગુજરાતમાં જીતવું હોય તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી થવું પડે, ઘરના અમીચંદોને કારણે કોંગ્રેસની હાર થઈ

Gujarat Congress : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઇ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના ત્રણ નેતાઓ અમદાવાદ આવી પહોચ્યા છે. ચૂંટણી જીત્યા ન હોય તેવા નેતાઓ હવે હારના કારણો જાણીને રિપોર્ટને અભિરાઇએ ચડાવી દે તો નવાઈ નહીં. વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમીટી સમક્ષ એવો બળાપો કાઢ્યો છે કે, પક્ષના ગદારોને કારણે જ હાર થઇ છે. જો કોંગ્રેસ પક્ષવિરોધી સામે કેવાં  પગલાં  ભરે છે એ તો સમય જ બતાવશે પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે. 

બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર 
હાઇકમાન્ડના આદેશને પગલે અમદાવાદ આવી પહોચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ કરવી જોઇએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરવું જોઇએ. માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે સમજાતુ નથી. 

આ પણ વાંચો : 

કશ્મીરથી લઈ ગુજરાત સુધી ઠંડીના રેકોર્ડ તૂટ્યા, 8 જિલ્લામાં સિંગલ ડિજીટમાં પારો

થઈ ગઈ જાહેરાત, આ તારીખે ગુજરાતને મળશે નવા DGP અને નવા મુખ્ય સચિવ

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ ન દાખવ્યો 
કમિટી સામે એવી પણ રજૂઆત થઇ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અંડિગા જમાવ્યા હતાં, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં. આ ઉપરાંત પદ માટે નહી, પક્ષનુ કામ કરનારાને પક્ષના સંગઠનમાં સમાવવા જોઈએ. 

પક્ષના અમીચંદોને કારણે આ હાર થઇ 
તો ધારાસભ્ય શૈલેષ પરમારે ક સમક્ષ જણાવ્યું હતું કે, પક્ષના અમીચંદોને કારણે આ હાર થઇ છે. પક્ષ વિરોધીઓને તાકીદે સસ્પેન્ડ કરવા જોઇએ. જો આવા પગલાં નહી ભરાય તો પક્ષને હજુ વધુ નુકસાન થશે. ટૂંકમાં, વિધાનસભાની ચૂંટણી હારના કારણો જાણવાનુ એક માત્ર નાટક છે. ખાટલે જ મોટી ખોટ છે. સત્યશોધક કમીટીના રિપોર્ટ તૈયાર થશેને અભિરાઈ ચડાવી દેશે એવી ચર્ચાઓ પણ ચાલી છે. તેમણે પક્ષ પર ગંભીર આક્ષેપ લગાવ્યા કે, ચૂંટાયેલ કોર્પોરેટર અને હોદ્દેદારોએ પાર્ટી વિરુદ્ધની કામગીરી કરી છે. કમિટી સમક્ષ પાર્ટી વિરુદ્ધ કામગીરીના ચિઠ્ઠા ખોલીશ. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારને સસ્પેન્ડ કરવા જોઈએ. પાર્ટી વિરુદ્ધ કામ કરનારને સસ્પેન્ડ નહિ કરાય તો હજી વધુ નુકસાન થશે. કોંગ્રેસે ફરીવાર સક્રિય થવું હશે તો કડક હાથે કામ લેવું પડશે. 

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીને મળ્યા હતા. વન ટુ વન બેઠકમાં ખેડાવાલાએ તારણો રજૂ કર્યા કે, પક્ષને કોંગ્રેસના દરેક નેતાઓએ મહેનત કરવાની જરૂર છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરુ કરવી જોઈએ. બેઠકમાં કોંગ્રેસની નિર્ણય શક્તિ અંગે પણ ચર્ચા થઈ. તાત્કાલિક નેતા વિપક્ષની નિમણુંક કરવી જોઈએ. હાઇકમાન્ડે તાત્કાલિક વિધાનસભા કોંગ્રેસના નેતા જાહેર કરવા જોઈએ. વિધાનસભામાં માત્ર 17 સભ્યો હોવા છતાં પસંદગીમાં વિલંબ છે. 

આ પણ વાંચો : તાપણું કરવાની આદત હોય તો ચેતી જજો, પાટણમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More