બ્રિજેશ દોશી/ગાંધીનગર :આગામી સમયમાં વિવિધ ચૂંટણીઓ આવી રહી છે. વિવિધ ચૂ્ંટણીઓમાં જીત મેળવવા માટે ગુજરાત ભાજપે અત્યારથી જ કમર કસી છે. જીતના લક્ષ્યાંક સાથે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. કમલમ ખાતે હવે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ 2007, 2012 , 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની બુધવારે એક બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં હારેલા ધારાસભ્યો હાજરી આપશે. કમલમ પર યોજાનારી આ બેઠકમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યોની બેઠક મળશે.
અત્યાર સુધીમાં હારેલા નેતાઓની મળનારી ભાજપની આ પ્રથમ બેઠક છે. 2022ની વિધાનસભા ચૂંટણી તથા આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર બાદ હવે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે. સીઆર પાટીલ 3થી 5 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓના ટાર્ગેટ ઉત્તર ગુજરાતનું આખુ શિડ્યુલ આવી ગયું છે.
સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....
3 સપ્ટેમ્બરનું શિડ્યુલ
4 સપ્ટેમ્બરનું શિડ્યુલ
5 સપ્ટેમ્બરનું શિડ્યુલ
5 તારીખે ગાંધીનગરના ચિલોડામાં પાટીલનું સ્વાગત કરાશે. જેના બાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ તેમનું સ્વાગત કરાશે. સવારે 10 વાગ્યે હિંમતનગરમાં સ્વાગત અને બેઠકનું આયોજન કરાયું છે. જેના બાદ અરવલ્લીના ગાંભોઈ, રાજેન્દ્ર ચોકડી અને મોડાસામાં ભવ્ય સ્વાગત કરાશે. મોડાસામાં બેઠક પણ કરશે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :
સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે