Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના ખેડૂતે એવી ખેતી કરી જેમાં કમાણી માટે 20 વર્ષ પાછળ વળીને જોવુ નહિ પડે

Agriculture news : નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂત બાગાયતી પાક કરીને તેની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવ્યા છે. બાગાયતી પાકથી એવી ખેતી કરી કે જે હવે 20 વર્ષ સુધી ફળ આપશે

ગુજરાતના ખેડૂતે એવી ખેતી કરી જેમાં કમાણી માટે 20 વર્ષ પાછળ વળીને જોવુ નહિ પડે
  • કરાંઠા ગામના ખેડૂતે બાગાયતી પાક કરીને પોતાની આર્થિક પરિસ્થિતિ બદલી નાંખી 
  • પ્રિયાંક પટેલ ગુજરાત જ નહિ, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જામફળ વેચીને સારુ વળતર મેળવે છે

જયેશ દોશી/નર્મદા :નર્મદાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતોએ આવકમાં વધારો કરવા માટે નવા પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે હવે કરાંઠા ગામના ખેડૂતોએ બગાયતી પાક કરતા આર્થિક સ્થિતિમાં સુધાર આવ્યો છે. કરાંઠ ગામના ખેડૂત પ્રિયાંક પટેલે પહેલા કેળાની ખેતી કરતા હતા. ત્યારે હવે તેઓ જામફળની ખેતી કરી રહ્યા છે. પ્રિયાંક પટેલે 3 એકરના ખેતરમાં 1300થી વધુ છોડ વાવ્યા છે. દોઢ વર્ષમાં જ ખેડૂતની આવક થવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે પ્રિયાંક પટેલની 20 વર્ષ સુધી આવક ચાલુ રહેશે. હાલમાં પ્રિયાંક પટેલ જામફળની સાથે અન્ય ખેતી પણ કરી રહ્યા છે. હાલમાં પ્રિયાંક પટેલ ગુજરાત જ નહિ, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જામફળ વેચીને સારુ વળતર મેળવે છે. ત્યારે હવે પ્રિયાંક પટેલે અન્ય ખેડૂતોને પણ બગાયતી ખેતી કરવા માટે સૂચન આપ્યા છે. જો ખેડૂતો બગાયતી ખેતી તરફ આગળ વધે તો આવકમાં વધારો થઈ શકે છે.

નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂત બાગાયતી પાક કરીને તેની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવ્યા છે. કરાંઠા ગામમાં રહેતા પ્રિયાંક પટેલ પેહલા કેળાની ખેતી કરતા હતા. કેળાની ખેતીમાં વર્ષે આવક થતી હતી. ત્યારબાદ તેમને વર્ષ 2019 થી તડબૂચની ખેતી કરી, પણ તડબૂચનો પાક જયારે બજારમાં વેચવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉન આવી ગયું. ત્યારે આ જાગૃત ખેડૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો સહારો લઈને સોશિયલ મીડિયા થાકી તડબૂચનું વેચાણ શરુ કર્યું હતું. જેમાં તેમને સારી આવક થઈ હતી.

આ પણ વાંચો : વડોદરામાં બનેલુ ફેમસ કલાકારનું પેઈન્ટિંગ 21 કરોડમાં વેચાયુ

પ્રિયાંક પટેલને ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમણે લાલ જામફળની ખેતી કરી છે. પોતાના 3 એકર ના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300 થી પણ વધુ છોડ વાવ્યા છે. આ જામફળની ખેતી 20 વર્ષ સુધી આવક આપશે. જામફળનું ઉત્પાદન દોઢ વર્ષમાં શરુ થઈ જાય છે. એટલે 20 વર્ષ સુધી ખેડૂતની આવક ચાલુ જ રહે છે અને ઉત્પાદન માટે રાહ પણ જોવી પડતી નથી. જામફળની ખેતીની સાથે બીજા પણ પાક લઈ શકાય છે. જેથી આવક બમણી થઈ જાય છે.

fallbacks

જામફળમાંથી અનેક વસ્તુઓ બનાવીને આવક કરી શકાય
જામફળની ખેતી કરવાથી તેમાંથી નેચરલ જ્યુસ માટે તેનો પલ્પ પણ બનાવીને બજારમાં વેચી શકાઈ છે. જયારે એમાંથી વેફર પણ બને છે અને જામફળનો પાવડર પણ બજારમાં વેચીને આવક થઈ શકે છે. આ લાલ જામફળનું ફળ 1 કિલો ગ્રામ થતું હોય છે. પલ્પની વાત કરીયે તો બજારમાં 200 રૂપિયે કિલો જામફળનો પલ્પ વેચાતો હોઈ છે. હાલ કરાંઠા ગામના પ્રિયાંક પટેલ પોતાના ખેતરના જામફળ ગુજરાત જ નહિ પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વેચીને સારું વળતર મેળવી રહ્યા છે. જામફળના વેચાણ માટે એમને ક્યાંય જવાની જરૂર પડતી નથી. સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે માર્કેટિંગ કરીને જામફળ વેચી રહ્યા છે. પ્રિયાંક પટેલ જણાવે છે કે જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે તો ચોક્કસ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More