Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : ધોરણ-12ના વિદ્યાર્થીની મોડી રાત્રે હત્યા, પરિવારે કહ્યું-હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ

સુરતમાં ગઈકાલે મોડી રાત્રે નાનકડી બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાના હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી દીકરાના હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે તેવી વાત કહી છે. પરિવારજનોએ લિંબાયત વિસ્તારમાં ગુંડાગીર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.

સુરત : ધોરણ-12ના વિદ્યાર્થીની મોડી રાત્રે હત્યા, પરિવારે કહ્યું-હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ

ચેતન પટેલ/સુરત :સુરતમાં ગઈકાલે મોડી રાત્રે નાનકડી બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાના હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી દીકરાના હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે તેવી વાત કહી છે. પરિવારજનોએ લિંબાયત વિસ્તારમાં ગુંડાગીર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.

અંબાજી મેળાનો પહેલો દિવસ : 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરને થઈ 61 લાખની આવક

સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે ધોરણ-12માં ભણતા સાહિલ સૂર્યકાંત જોશી (ઉંમર 18 વર્ષ) નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે વિસ્તારના અસામાજિક તત્ત્વો પત્થર તથા અન્ય તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે, અમારો દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. તે સોસાયટીની બહાર પાનના ગલ્લા પર ઉભો હતો. ત્યાં બહારથી કેટલાક યુવકો આવ્યા હતા. કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, અને બાદમાં મારામારી થઈ હતી. એ યુવકોએ અમારા દીકરાને ઈંટ-પત્થરથી માર માર્યો હતો. તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અમારા  ત્યાં ગુંડાગીર્દી વધી છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ વધી રહ્યું છે. ટપોરીગીરી વધી ગઈ છે. અસામાજિક તત્વનો અડ્ડો બનીગ યો છે. અમને ન્યાય જોઈએ. જ્યા સુધી હત્યારાઓ પકડાય નહિ, ત્યાં સુધી અમે અમારા દીકરાનો મૃતદેહ અહીથી ઉઠીશુ નહિ. અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં ગુંડાગીરી ખતમ થવી જોઈએ અને હત્યારાઓ પકડાવા જોઈએ. તેમની સામે કડકમાં કાર્યવાહી કરવી જોઈએ. 

ગોંડલ : કૃષ્ણ જન્મોત્સવમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર બન્યા વાસુદેવ, ધાર્મિક વેશમાં સોહામણા લાગ્યા

fallbacks

દીકરાને ગુમાવ્યાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પિતા ઊંડા શોકમાં ડૂબી ગયા હતા. ગમગીન અવાજે તેમણે કહ્યું હતું કે, મારા દીકરાની હત્યા કરાઈ છે. ચાર-પાંચ યુવકો તેને મારીને જતા રહ્યા હતા. પત્થર પણ ગળા પર લગાવી દીધા હતા. તેમને પકડો અને કડકમાં કડક કાર્યવાહી કરો. 

હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીના પરિવારજનો સુરતના સ્મીમેર હોસ્પિટલમાં પહોંચ્યા છે, જ્યાં તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે, હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી અમારા દીકરાનો મૃતદેહ નહિ સ્વીકારીશું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More