અમદાવાદ :ગુજરાતના વેરાવળમાં વાવાઝોડુ ત્રાટકવાનું છે, જ્યાંથી આ વાવાઝોડુ હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને પગલે રાજ્યના 6 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મી.મી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યભરમાં વરસાદી વાદળાઓથી આકાશ છવાઈ ગયું છે.
વેરાવળથી માત્ર 350 કિમી દૂર વાયુએ રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કર્યું, 23 તાલુકામાં પડ્યો વરસાદ
પંચમહાલમાં વાવાઝોડું
પંચમહાલના જિલ્લાના તમામ તાલુકાઓમાં અચાનક વાવાઝોડું આવ્યું. વાવાઝોડાને લઈને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. અચાનક આવેલા વાવાઝોડાને લઈને કાલોલથી ડેરોલ ગામ વચ્ચે બે વૃક્ષો ધારાશાહી થઈ ગયા છે. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. નવસારીના ચીખલી તેમજ વાંસદા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. ચીખલી સહિતના વિસ્તારોમાં વીજળી ડુલ થતા લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત થયું હતું.
ક્યાં ક્યાં વાતાવરણ પલટાયુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે