અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેટ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં સિંહના સંવર્ધનને લઈને ચર્ચા કરવામા આવી હતી. સિંહના સંવર્ધનને લઈ વનમંત્રી ગણપત વસાવાએ મહત્વની જાહેરાત કરી છે. સિંહના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર 351 કરોડ રૂપિયા આપશે. સાથે જ 100 કરોડના ખર્ચે સિંહોની સારવાર માટે આધુનિક હોસ્પિટલ બનાવાશે. 100 વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરવામા આવશે. 8 જેટલા રેસ્ક્યુ સેન્ટર બનાવાશે. આ ઉપરાંત 5 નવા સફારી પાર્કને પણ મંજૂરી આપી દેવાઈ છે. રાજ્ય સરકાર દેખરેખ રાખવા ડ્રોન પણ ખરીદશે. ગીરમાં ઘાસના મેદાનો બનાવવાની પણ જાહેરાત કરાઈ છે.
સિંહોના સંવર્ધન માટે સરકારે કરેલી મહત્વની જાહેરાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે