અતુલ તિવારી, અમદાવાદ : અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં કોરોનાના શિકાર બનેલા કોરોનાનો અમદાવાદના ન્યુક્લોથ માર્કેટના વેપારી ભંવર ગાંધી પોતાનો અનુભવ મીડિયામાં શેયર કરતા જણાવ્યું હતું કે તેમને આપવામાં આવતી ચા સાવ જ ઠંડી હોય છે અને નાસ્તો પણ ટાઢો બોળ જ હોય છે. તેમને નાસ્તામાં બે બ્રેડ આપવામાં આવે છે. આ માહોલને જોતાં સારા ઘરના દરદીઓ સેન્ટર છોડીને જવાનું પસંદ કરે તેવી સ્થિતિ છે.
ભંવર ગાંધીનો આ અનુભવ ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને સિવિલ હોસ્પિટલની સગવડ ટીકાનો મુદ્દો બની હતી. કોરોના દર્દીઓની જમવા અંગેની અનેક ફરિયાદો આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજાગ બન્યું છે અને હોસ્પિટલ દ્વારા દર્દીઓનું મેનુ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદની સિવિલ કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે