Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી-છેડતી કેસમાં મોટી કાર્યવાહી, 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

સાત સિન્ડિકેટ સભ્યોની બનાવેલી કમિટીમાં પહેલી બેઠકમાં મારામારી અને છેડતીની ઘટનામાં સંડોવાયેલા પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. મોડી રાત સુધી  વિદ્યાર્થીઓના સસ્પેન્શન ઓર્ડર તૈયાર કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી.

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી-છેડતી કેસમાં મોટી કાર્યવાહી, 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી અને છેડતી મામલે તપાસ કમિટીએ મોટી કાર્યવાહી કરી છે. છેડતી અને મારામારીમાં સંડોવાયેલા 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં છેડતી અને મારામારીની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવ્યા બાદ સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને સાત સિન્ડિકેટ સભ્યોની એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. 

સાત સિન્ડિકેટ સભ્યોની બનાવેલી કમિટીમાં પહેલી બેઠકમાં મારામારી અને છેડતીની ઘટનામાં સંડોવાયેલા પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. મોડી રાત સુધી  વિદ્યાર્થીઓના સસ્પેન્શન ઓર્ડર તૈયાર કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી.

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

મળતી વિગતો પ્રમાણે સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં કોમર્સ ફેકલ્ટીના અબુ તાલીબ પઠાણ , રિયાન કય્યુમ પઠાણ, અને શાહીદ મુસ્તકીન શેખનો સમાવેશ થાય છે. આ ત્રણ વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડીએન હોલ મેદાન પાસે મારામારીની અન્ય એક ઘટના પણ બની હતી.જેમાં એક વિદ્યાર્થીને માથામાં લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા.આ મામલામાં બીજા બે વિદ્યાર્થીઓ કરણ ચૌહાણ અને વાસુદેવ સુથારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પણ કોમર્સ ફેકલ્ટીના છે.

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

આ મારામારીમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. પણ હાલમાં તો જે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમને સસ્પેન્ડ કરાયા છે. નમાઝની ઘટનામાં વિદ્યાર્થીઓનો ઈરાદો શું હતો તે જાણવાનો પહેલા પ્રયત્ન કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More