Gujarat Love Jihad: આપણા દેશમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હિન્દુ સમાજની યુવતીની છેડતી, શારીરિક શોષણ, ભગાડી જવાના બનાવો વધતા જાય છે. આ લવજેહાદના કિસ્સાઓનું વધતુ જતું પ્રમાણ ચિંતાજનક છે. લઘુમતીઓ હિન્દુ દીકરીઓને દુશ્મન બનીને તેમને ફસાવી અને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવ જેહાદનો કાયદો બનાવવામાં આવ્યો હતો. અને આ તર્જ ઉપર ગુજરાતમાં વધતાં જતાં લવ જેહાદના કેસને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. હાલ ગુજરાતની હિન્દુ દિકરીઓ વિધર્મીઓના નિશાને હોય તેવું એક ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા 3 મહિનામાં એક બે નહીં પરતું 16-16 ઘટના લવ જેહાદની બની હતી. એમાં હિન્દુ યુવતીઓને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો રોષે ભરાયા છે.
Chandrayaan-3: વિક્રમ લેન્ડરના LPDC કેમેરાએ બનાવ્યો ચંદ્રનો વીડિયો
ગુજરાતના 9 જિલ્લામાં વિધર્મીઓને જાણે ખુલ્લો દોર મળી ગયો હોય તેમ હિન્દુ દિકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં વિધર્મીઓએ હિંદુ દીકરીઓને નિશાન બનાવી હોય તેવા 16 કેસ નોંધાયા છે. વિધર્મીઓ સૌથી વધુ ગુજરાતના 9 જિલ્લાની યુવતીઓને ટાર્ગેટ બનાવતા હોય તેવી એક આંકડાકીય માહિતીમાં સાબિત થયું છે. ગુજરાતના જે 9 જિલ્લાની વાત કરીએ તો લવ જેહાદીઓના ટાર્ગેટ પર સુરત, ખેડા, અમદાવાદ અને રાજકોટ સૌથી આગળ છે. આ 9 જિલ્લામાં લવ જેહાદીઓ સૌથી વધુ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. સૌથી વધુ 9 જિલ્લાની હિંદુ સગીરાઓ, યુવતીઓ અને પરિણીતાઓ વિધર્મીઓની જાળમાં ફસાઈ છે.
અંબાલાલની ઘાતક આગાહી: અંતિમ તબક્કામાં ચોમાસુ તોફાની બનશે, આ વિસ્તારોમાં ફરી ધબધબાટી
પાટીદાર સમાજ આકરા પાણીએ
લવ જેહાદની વધતી પ્રવૃતિ અંગે પાટીદાર સમાજ પણ આકરા પાણી છે. મોટાભાગના પાટીદારોમાં દીકરીઓને શહેરમાં એકલા રહેવા માટે મોકલે છે. અને શહેરમાં એકલી રહેતી દીકરીઓ લેવ જેહાદીઓનું મેન ટાર્ગેટ હોય એમ પાટોદાર સમાજ માને છે. જેના કારણે પાટીદાર સમાજે દીકરીઓની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે દીકરીઓ PGમાં રહેતી હોય અથવા અપડાઉન કરતી હોય તેવી દીકરીઓમાં આ પ્રશ્ન વધુ રહે છે. કોલેજમાં જતી દીકરીઓ પરિપક્વતા ધરાવતી નથી. આથી લેભાગુ તત્ત્વો ગેરલાભ ઉઠાવે છે.
મહેસાણાની સરકારી શાળામાં ધો. 1 થી 7 માટે માત્ર 1 જ શિક્ષક! શું આ રીતે ભણશે ગુજરાત?
લવ જેહાદ કાયદો શું છે?
ઉત્તર પ્રદેશ સરકારે લવ જેહાદને લઈને સૌથી પહેલા કાયદો ‘અનલોફુલ કન્વર્ઝન બિલ 2020’ બનાવ્યો હતો. આ કાયદા હેઠળ, બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની અને લગ્ન પછી અથવા તે પહેલાં કોઈનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા બદલ 10 વર્ષની સખત સજાની જોગવાઈ છે. જો કે, ભારતના ઘણા રાજ્યોમાં બળજબરીથી ધર્માંતરણને લઈને કડક કાયદા છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણને લઈને દેશમાં કાયદા છે.
ગીર-સોમનાથ : પાડોશીએ મહિલાના મકાનના બાથરૂમમાં લગાવ્યો સ્પાય કેમેરો
લવ જેહાદ શું છે?
લવ જેહાદ મૂળભૂત રીતે લવ અને જેહાદ શબ્દોથી બનેલું છે. લવ એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રેમ અને જેહાદ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈ પણ હેતુને પૂર્ણ કરવા માટે પોતાની તમામ શક્તિ લગાવવી. એટલે કે, જો તમે લવ જેહાદનો અર્થ સરળ ભાષામાં સમજો છો, તો તે છોકરીને તેના ખાસ હેતુને પૂર્ણ કરવા માટે તેના પ્રેમની જાળમાં ફસાવી અને તેનું ધર્માંતરણ કરાવવું છે. આને લવ જેહાદ કહેવાય છે.
સરકારે કેન્દ્રીય કર્મચારીઓના LTC નિયમમાં કર્યો ફેરફાર, હવે પહેલા કરતા મળશે વધુ ફાયદો
લવ જેહાદનું કારણ
લવ જેહાદમાં માનનારાઓના મતે મુસ્લિમ યુવકો જાણીજોઈને હિંદુ યુવતીઓને પોતાની લવ જાળમાં ફસાવે છે અને બળજબરીથી તેમનું ધર્મપરિવર્તન કરાવે છે. આ પાછળ તેમનો હેતુ તેમના ધર્મનો વિસ્તાર કરવાનો છે. જો કે મુસ્લિમ સમાજ સાથે જોડાયેલા લોકો આ વાતને નકારે છે અને તેને ખોટું ગણાવે છે.
સુરતના 70 હજાર જેટલા કારીગરોમાં દહેશતનો માહોલ, પરિવારોએ સામૂહિક ગુજરાત છોડ્યું!
ગુજરાતના જિલ્લા પ્રમાણે લવ જેહાદના કેસ
3 માસમાં 16 જેહાદી ઝડપાયા
ક્રમ જિલ્લો કેસ
1 સુરત 5
2 ખેડા 2
3 અમદાવાદ 2
4 રાજકોટ 2
5 ગીર સોમનાથ 1
6 દ્વારકા 1
7 આણંદ 1
8 વડોદરા 1
9 અરવલ્લી 1
ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા
દક્ષિણ ગુજરાતના કુલ
જિલ્લા કેસ
સુરત 5
ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા
મધ્ય ગુજરાતના કુલ
જિલ્લા કેસ
અમદાવાદ 2
ખેડા 2
આણંદ 1
વડોદરા 1
કુલ 6
ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા
સૌરાષ્ટ્રના કુલ
જિલ્લા કેસ
રાજકોટ 2
ગીર સોમનાથ 1
દ્વારકા 1
કુલ 4
ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા
ઉત્તર ગુજરાતના કુલ
જિલ્લા કેસ
અરવલ્લી 1
જાણો લવ જેહાદીઓની 16 લીલાનો પર્દાફાશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે