Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, પાક ધિરાણની રકમ ચુકવવાની સમયમર્યાદામાં કર્યો વધારો

રાજ્યના ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર 3 ટકા અને રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધિરાણ માળખામાં આપે છે. 

 રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, પાક ધિરાણની રકમ ચુકવવાની સમયમર્યાદામાં કર્યો વધારો

ગાંધીનગરઃ કોરોના મહામારી અને લૉકડાઉન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ કોરોનાને કારણે ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ બંધ છે.  તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. અને બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ભરપાઇ કરવાની મુદ્દત તા.31.૦3.2020 હતી તે લંબાવીને હવે તા.31.05.2020 કરાઇ છે. 

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા ખેડૂત અગ્રણીઓ, કિસાન સંઘ, ધારાસભ્યઓ દ્વારા મુખ્યમંશ્રી વિજયભાઇ રૂપાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને મારી સમક્ષ આ મુદ્દત વધારવા માટે રજુઆત કરી હતી. તે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં આજે રાજ્ય સરકારે આ મુદ્દત બે માસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.    

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરરસી મહામારીને પરિણામે ઉદ્યોગ-ધંધા-વેપાર અને માર્કેટ યાર્ડો બંધ છે ત્યારે ખેડૂતો પોતાનો પાક વેચી શકતા નથી. ત્યારે રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો પાસેથી જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ૩૧ માર્ચ સુધી ભરપાઇ કરે તો જ ફરીથી એ જ મંડળીઓ પુન: ધીરાણ આપતી હોય છે. ખેડૂતોને રાબેતા મુજબ ધિરાણ મળી રહે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.    

પોરબંદરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 84 થઈ  
  
રાજ્યના ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર 3 ટકા અને રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધિરાણ માળખામાં આપે છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હાલની લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સમયસર પાક ધિરાણની રકમ ભરપાઇ ન કરી શકે તે સ્વાભાવિક છે. એટલું જ નહિ, આ વધારાના સમય માટે પણ ખેડૂતોને અપાતી 7 ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, ભારત સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ ખેડૂતોને આ વધારાના સમય માટે 4 ટકા વ્યાજ રાહત આપશે. રાજ્યના 24,21,149 જેટલા ખેડૂતોને વ્યાજ રાહતનો લાભ મળશે અને રાજ્ય સરકાર આ વ્યાજ રાહતની વધારાની સમયમર્યાદાના રૂ. 160 કરોડનો વધુ બોજ વહન કરીને પણ ખેડૂતોની પડખે ઊભી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More