Home> Gujarat
Advertisement
Prev
Next

Junagadh Voilence: જૂનાગઢમાં આગચંપી અને પોલીસ પર હુમલો, અત્યાર સુધીની 5 મોટી આ છે અપડેટ

Juanagadh Poilce attack: ગુજરાતના જૂનાગઢમાં મજેવડી ગેટ પાસેના ધાર્મિક સ્થળને હટાવવાને લઈને હોબાળો થયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મુસ્લિમ સમુદાયની દરગાહને નોટિસ ફટકાર્યા બાદ પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે.

Junagadh Voilence: જૂનાગઢમાં આગચંપી અને પોલીસ પર હુમલો, અત્યાર સુધીની 5 મોટી આ છે અપડેટ

Junagadh Majevadi Gate Voilece: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા મજેવડી ગેટ અંગેનો મામલો વેગ પકડી રહ્યો છે. અહીં સ્થિત એક દરગાહને હટાવવાની નોટિસ પર આગચંપી અને પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ તંગ છે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના જૂનાગઢમાં મજેવડી ગેટ પાસેના ધાર્મિક સ્થળને હટાવવાને લઈને હોબાળો થયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મુસ્લિમ સમુદાયની દરગાહને નોટિસ ફટકાર્યા બાદ પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે. જેમાં ડેપ્યુટી એસપી સહિત 10 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે આ કેસમાં હવે 174 લોકોની અટકાયત કરી છે. સ્થિતિને સંભાળવા માટે મજેવડી ગેટની આસપાસના વિસ્તારોમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

કેવી રીતે હિંસા ફાટી નીકળી:
1. જૂનાગઢ રિસાયત સાથે જોડાયેલા મજેવડી ગેટ પાસે એક દરગાહ છે. આ દરગાહ ઘણા સમયથી છે. આઝાદીના સમયથી લોકો તેને જોઈ રહ્યા છે. પાંચ વર્ષ પહેલા પણ આ દરગાહને લઈને વિવાદ થયો હતો. પછી થોડા દિવસોમાં મામલો શાંત થઈ ગયો. આ દરગાહ સાથે મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. પાંચ દિવસ પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાએ આ દરગાહના કાગળો મંગાવ્યા હતા. આ પછી મહાનગરપાલિકાએ દરગાહ પર નોટિસ ચોંટાડી દીધી હતી.

Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો

2. દરગાહની કાયદેસરતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતા શુક્રવારે (16 જૂન) સાંજે 7 વાગ્યે દરગાહ પર મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે પોલીસ આ લોકોને હટાવવા પહોંચી તો તેઓએ પોલીસ સાથે દુર્વ્યવહાર કરાયો. પોલીસે પરિસ્થિતિ સંભાળી તમામને વિખેરી નાખ્યા હતા.

3. રાત્રે 10 વાગ્યાની આસપાસ લોકો ફરી એકઠા થયા અને પછી નજીકમાં આવેલી પોસ્ટ પર હુમલો કર્યો. પોલીસ પર પથ્થરમારો થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. જેમાં ત્યાં હાજર પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. તોફાનીઓએ કેટલાક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર

4. પોલીસે ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલ્યા. આ પછી કેટલાક પથ્થરબાજોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં દરગાહની સામે કેટલાક યુવકોને માર મારવામાં આવી રહ્યો છે. જૂનાગઢ પોલીસે પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!
Zero Electric Bill: ફક્ત 282 રૂપિયા ખર્ચ કરો, જીંદગીભર નહી આવશે વિજળીનું બિલ
દાઢીને કાળી અને ઘટ્ટ રાખવી તો શરીરમાં થવા ન દો આ વિટામિનની ઉણપ

5. મજેવડી ગેટ સ્થિત પોલીસ ચોકી પર હિંસા દરમિયાન ત્યાં હાજર રહેલા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષનો ભત્રીજો પણ ત્યાં હાજર હતો. પથ્થરમારા દરમિયાન તેમને એટેક આવ્યો  અને તેમનું મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ પોલાભાઈ સુજેત્રા તરીકે થઈ છે.

Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
Ramesh Bhai Oza: કોણ છે રમેશભાઇ ઓઝા, મુકેશ અંબાણી જેમને માને છે પોતાના ગુરૂ
આ 5 યોગ તમારી કુંડળીમાં હશે તો બેડો પાર સમજો, મળશે સત્તા સુખ અને સંપત્તિ

મજેવડી ગેટ શું છે?
જૂનાગઢના મજેવડી ગેટ વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટના બાદ મજેવડી ગેટ ચર્ચામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલાં અહીં કોઈ દરગાહ નહોતી. તે ગેરકાયદેસર છે. જો કે જે તસવીરોના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢના લોકોનું કહેવું છે કે આ દરગાહ ઘણા સમયથી અહીં આવેલી છે. મજેવડી દરવાજા વિશે વાત કરીએ તો, તે જૂનાગઢના રજવાડા સાથે સંકળાયેલા મુખ્ય દરવાજાઓમાંનો એક છે. વિજય રૂપાણી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આ દરવાજાનું નવીનીકરણ પણ કરાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત કોર્પોરેશને દરગાહને લગતા દસ્તાવેજો મંગાવ્યા હતા. આ પછી નોટિસ ચોંટાડવામાં આવી હતી. નોટિસ ચોંટાડવા બાબતે વિવાદ થયો હતો. આ પછી પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો. આ દરવાજો 123 વર્ષ જૂનો છે.

રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More