Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગર: જસદણમાં પેટા ચૂંટણી જાહેર, 23 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 3 દિવસ બાદ 23 ડિસેમ્બરે આવશે. જસદણની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર રહેશે

ગાંધીનગર: જસદણમાં પેટા ચૂંટણી જાહેર, 23 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

રક્ષિત પંડ્યા, કિંજલ મિશ્રા(રાજકોટ, અમદાવાદ) : જસદણની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં છે. 26 નવેમ્બરે ગેઝેટ નોટીફીકેશન જાહેર કરશે. આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 3 દિવસ બાદ 23 ડિસેમ્બરે આવશે. જસદણની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર રહેશે અને 4 ડિસેમ્બરે તમામ ફોર્મની સ્ક્રૂટીની થશે. તો ફોર્મ પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર રહેશે. આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણની પેટા ચૂંટણી પહેલા જાણે પક્ષ પલટાની મોસમ ખીલી છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના 6 સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. જેમાં વીંછીયાના ચતુરભાઈ રાજપરા, ભડલીના વાલીબેન તલાવડીયા, શિવરાજપુરના હંસાબેન ભોજાણી, કમળાપુરના વજીબેન  સાંકરીયા, ભડલાના મગનભાઈ મેટાળીયા અને આટકોટના હેતલબેન ગોહિલ ભાજપમાં જોડાઈ શકે છે અને કુંવરજી બાવળિયાને ટેકો કરી શકે છે.
fallbacks

જસદણ ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન આ સભ્યો સત્તાવાર ભાજપમાં જોડાઈ શકે છે તો આ સિવાય જસદણ તાલુકાના 8 સભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. જેમાં જંગવડના શિલ્પાબેન રંગાણી, શીવરાજપુરના દેવેન્દ્રભાઈ ઝાપડીયા, કાનપરના સુધાબેન સખીયા ભાજપમાં જોડાઈ શકે છે. તો આંબરડીના રમીલાબેન બારૈયા, કાળાસરના મનુભાઈ ધોળકીયા, વીરનગરના જેન્તીભાઈ સલુડીયા, ડોડીયાળાના રસીલાબેન ધડુક ભાજપમાં જોડાઈ શકે છે.

આ ઉપરાંત જસદણ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ હરેશ રાઠોડ તેમજ 20થી વધુ ગામોના સરપંચ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે...ત્યારે આટલા સભ્યો તથા સરપંચો ભાજપમાં જોડાશે તો પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન જઈ શકે છે.

કોણ કરી શકે છે પક્ષપલટો?
ચતુરભાઈ રાજપરા- વીંછીયા
વાલીબેન તલાવડીયા - ભડલી 
હંસાબેન ભોજાણી  શિવરાજપુર
વજીબેન  સાંકરીયા - કમળાપુર 
મગનભાઈ મેટાળીયા - ભડલા
હેતલબેન ગોહિલ  - આટકોટ

શિલ્પાબેન અશોકભાઈ રંગાણી - જંગવડ
દેવેન્દ્રભાઈ ઝાપડીયા શિવરાજપુર 
સુધાબેન ગીરીશભાઈ સખીયા - કાનપર
રમીલાબેન મુકેશભાઈ બારૈયા - આંબરડી
મનુભાઈ ધુધાભાઈ ધોળકીયા - કાળાસર
જેન્તીભાઈ સલુડીયા - વીરનગર
રસીલાબેન દામજીભાઈ ધડુક  - ડોડીયાળા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More