Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat: મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા, સરકારને ખેંચી ગયા કોર્ટમાં

Jay Narayan Vays in High Court: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે સરકારની આરોગ્ય સેવાઓનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા જય નારાયણ વ્યાસે તેમના હોમ ટાઉન સિદ્ધપુરમાં નબળી આરોગ્ય સેવાઓનો મુદ્દો હાઈકોર્ટમાં ઉઠાવ્યો છે.

Gujarat: મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા, સરકારને ખેંચી ગયા કોર્ટમાં

Jay Narayan Vays in High Court: લાંબા સમયથી ગુજરાતના આરોગ્ય મંત્રી રહેલા જય નારાયણ વ્યાસે ગૃહ પ્રદેશ સિદ્ધપુરમાં આરોગ્ય સેવાઓની દુર્દશા અંગે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા છે. પ્રથમ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ, દરિયામાં મોટી હલચલ જોવા મળી

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે સરકારની આરોગ્ય સેવાઓનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા જય નારાયણ વ્યાસે તેમના હોમ ટાઉન સિદ્ધપુરમાં નબળી આરોગ્ય સેવાઓનો મુદ્દો હાઈકોર્ટમાં ઉઠાવ્યો છે. આ અંગે હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 2007થી 2012 સુધી ગુજરાતના આરોગ્ય મંત્રી રહેલા જય નારાયણ વ્યાસે આ મામલો એવા સમયે ઉઠાવ્યો છે જ્યારે ગુજરાતમાં સત્તાધારી ભાજપ નવ વર્ષ પૂરા થવા પર સંપર્ક-સમર્થન અભિયાન ચલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહી છે. હાલમાં વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી છે.

કેરળના આકાશમાંથી ગાયબ થયા ચોમાસાના વાદળો, આ હલચલ અંગે અંબાલાલ પટેલે કરી નવી આગાહી

સિદ્ધપુરમાં સેવાઓ ખોરવાઈ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને જય નારણ વ્યાસ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL)નો જવાબ આપવા જણાવ્યું છે. જેમાં વ્યાસે જણાવ્યું છે કે પાટણમાં તેમના વતન વિસ્તાર સિદ્ધપુરમાં સરકારી હોસ્પિટલો કાર્યરત નથી. આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલ પણ ખરાબ હાલતમાં છે. વ્યાસે તેમની પીઆઈએલમાં વિગતો આપી છે કે 10 માળની હોસ્પિટલમાં માત્ર ઓપીડી અને ઓર્થોપેડિક સુવિધાઓ છે. તેમણે કહ્યું છે કે સિદ્ધપુર જનરલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની વિભાગમાં ખાલી જગ્યાઓ છે. તેમણે દાવો કર્યો છે કે વર્ગ II અને વર્ગ 4ની 80 ટકા બેઠકો ખાલી છે. આ હોસ્પિટલોમાં સંપૂર્ણ ક્ષમતા સાથે ડોક્ટરો ઉપલબ્ધ નથી.

જેલેંસ્કીનો ડર સાચો ઠર્યો! યુક્રેનનો સૌથી મોટો બંધ તબાહ, અનેક ગામોની જળસમાધિનું જોખમ

અરજીમાં આપ્યા છે આ તથ્યો
વ્યાસના વકીલ મકબૂલ મન્સૂરીએ પીઆઈએલ સાથેના ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં આયુર્વેદ હોસ્પિટલની દુર્દશા પર સવાલો ઉભા થયા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ હોસ્પિટલો 2012માં બનાવવામાં આવી હતી. સારી જાળવણીની જગ્યાએ આ હોસ્પિટલોની ઉપેક્ષા થઈ રહી છે. જેના કારણે દર્દીઓને પડોશી રાજ્ય રાજસ્થાનમાં સારવાર માટે જવું પડે છે. અરજીમાં 2018માં આ અંગે રાજ્ય સરકારને આપવામાં આવેલ વિનંતી પત્ર પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં તબીબોની નિમણૂંકની માંગણી કરવામાં આવી હતી.

તગડી કમાણી કરવાનો સ્માર્ટ આઈડિયા! લોકો જોતા રહેશે, છલકાઈ જશે તમારું ખાતુ

આગામી સુનાવણી 26 જૂને
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ મનીષા લવકુમારે કોર્ટને જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની 12 જગ્યાઓ છે જેમાંથી 11 જગ્યાઓ ભરવામાં આવી છે. સાત જગ્યાએ કેન્સર હોસ્પિટલમાં છે. જેમાંથી છ જગ્યાઓ ભરાઈ ગઈ છે. તેવી જ રીતે કિડની વિભાગમાં કુલ સાત જગ્યાઓ છે. આ પૈકી છ જગ્યાઓ ખાલી છે. આ પછી કોર્ટે સરકારને નોટિસ પાઠવીને પૂછ્યું કે ખાલી જગ્યાઓ કેમ ભરવામાં આવી નથી. આ મામલે અલગથી સુનાવણી 26 જૂને હાથ ધરવામાં આવશે. જય નારાયણ વ્યાસને એક સમયે મોદી સરકારના સંકટમોચક કહેવાતા હતા. જેઓ હાલમાં ભાજપ સરકારના સૌથી મોટા આલોચક બની ગયા છે.

હિમાલય સર કરવો છે તો ગુજરાત સરકાર પૂરુ કરશે તમારું આ સપનું, વાંચી લો આ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More