IPS Officer A K Surolia : ગુજરાતના એવા કોઈ બાહોશ અધિકારી હોય તો એ છે IPS એ. કે સુરેલિયા... આજે આપણે એટીએસ અને ક્રાઈમબ્રાન્ચનો દબદબો જોઈએ છે એ દબદબો આ અધિકારીને આભારી છે. એમની ટીમમાં એવા અધિકારીઓ હતા જે કંઇ પણ કરવા માટે હંમેશાં તૈયાર રહેતા હતા. એમને ગીતા જોહરીને પોપટીયાવાડમાં એકલા જઈને બહાર કાઢ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મ રઈશમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ રોલ કર્યો હતો પણ એ એમની આસપાસ પણ પહોંચી શક્યો ન હતો. એ.કે. સૂરોલિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હતા ત્યારે સમગ્ર ગુજરાતના ગુનેગારો ધ્રૂજતા હતા.
હર કોઈ સુરોલિયા નહીં બન શકતા
અસામાજીક તત્વો જોજનો છેટા જતા રહેતા
ગુજરાત પોલીસમાં જે અધિકારીનું નામ બોલતા જ પોલીસની એક સ્વચ્છ અને બહાદુર છબી મગજમાં તરવરી જાય તેવા નિવૃત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક હાલમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય છે. લાંબાવાળ અને દાઢીધારી DGP હવે સાધુધારી વેશમાં રહી રહ્યાં છે. આ લુકમાં તેમની સાથે વર્ષો સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓ પણ ઓળખી નથી શકતા. ગુજરાતમાં સુરેલિયાનું નામ આજે પણ ખુબ જ આદરથી આજે પણ લેવાય છે. 90 ના દશકમાં તેમના નામથી ભલભલા અસામાજીક તત્વો જોજનો છેટા જતા રહેતા હતા.
ગુજરાતના અમદાવાદમાં 80થી 90ના દાયકામાં રમખાણો પણ બહુ જ થતા હતા. એકવાર ડીસીપી સુરેલિયાને સંદેશો મળ્યો કે નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન તેમને મળવા માગતો હોવાથી તાત્કાલિક કાર્યાલય પહોંચો. પ્રોટોકોલ પ્રમાણેનો આદેશ હોવાથી સુરેલિા કમને કાર્યાલય પહોંચ્યા ત્યારે નરહરી અમિન ટેન્શનમાં હતા. એ સમયે ચીમનભાઈ બાદ નરહરી અમિનનો પડકો બોલ ઝિલાતો હતો. એમને સુરેલિયાને સીધું પૂછ્યું કે શહેરમાં તોફાનો કેમ બંધ થથા નથી. એ સમયે બહુ જ ઓછું બોલતા સુરોલિયાએ સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે 48 કલાકમાં જ તોફાન બંધ કરાવી દઉં. સુરોલીયા Surolia એક પ્રમાણિક અધિકારી હોવાની સાથે આઈપીએસ IPS પણ હતાં. તેમની વાત ટાળી શકાય તેમ ન્હોતી. તોફાન બંધ થવા જોઈએ તેવી જો રાજ્યની ઈચ્છા હોય તો સુરોલીયા Surolia ની શરત માન્યા વગર કોઈ વિકલ્પ ન્હોતો.
મારે તોફાન બંધ થવા જોઈએ
ચિમનભાઈ પટેલે Chimanbhai Patel નરહરિ Narhari ની વાત પુરી થતાં જ કહ્યું નરહરિ Narhari સુરોલીયા Surolia ને કહી દે 48 કલાક નહીં 72 કલાક મારો કોઈ ફોન રાજ્યના કોઈ પણ અધિકારીને આવશે નહીં પણ મારે તોફાન બંધ થવા જોઈએ. જ્યારે નરહરિ Narhari એ સુરોલીયા Surolia ને મુખ્યમંત્રીનો જવાબ સંભળાવ્યો તેની સાથે સુરોલીયા Surolia સલામ કરી ચેમ્બરની બહાર નિકળ્યા. પોતાની ઓફિસે પહોંચતા પહેલા તેમણે વાયરસેલ ઉપર પોતાની ટીમને પોતાની ઓફિસમાં હાજર રહેવાની સુચના આપી હતી. હવે પોલીસ એક્શનમાં આવીને તોફાનો બંધ થઈ ગયા હતા. આમ આ એક બાહોશ અધિકારી હતા.
ભારત માટે માથાનો દુખાવો બનેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઉભુ કરી શક્યો નહોતો. દાઉદને ન માત્ર પડકારી પરતુ ગુજરાતમાં સંપુર્ણ નિષ્ફળ બનાવનારા જાંબાજ પોલીસ અધિકારી સુરેલિયા ગુજરાત એટીએસનું સુકાન પણ સંભાળી ચુક્યાં છે. હાલ પોતાની નિવૃતિનો સમય વાંચનમાં અને મનપસદ પ્રવૃતિઓ કરવામાં વિતાવી રહ્યા છે. સુરેલિયા જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા હતા ત્યારે કેટલાક કિસ્સાઓમાં સુરેલિયાના નામથી જ કેસની પતાવટ થઇ જતી હતી. સુરેલિયા એ સ્પષ્ટ વક્તા હોવાથી સરકાર સામે એમનો હંમેશાં બારમો ચંદરમા રહેતો હતો. ગુજરાત પોલીસના ઈતિહાસ (Gujarat Police History) ની ચર્ચામાં જો કેટલાંક નામો આવતા હોય તો તેમાં એ. કે. સુરોલિયા (A K Surolia IPS) મોખરે છે. ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાની મિશાલ બની ચૂક્યાં છે સુરોલિયા. 1985ની બેચના IPS એ કે સુરોલિયાની ટીમમાં કામ કરનારા અધિકારીઓ પૈકી ત્રણ અધિકારી તેમની કામગીરી અને નિષ્ઠાના કારણે આઉટ ઑફ ટર્ન પ્રમોશન મેળવ્યા હતા.
1997માં સરદારનગર પાસે એન્કાઉન્ટર થયું હતું
અબ્દુલ લતીફની 1995માં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની સામે 40થી વધુ ગુના નોંધાયેલા હતા. હંસરાજ ત્રિવેદી (રાધિકા જીમખાના શૂટઆઉટ)ની હત્યા વખતે થયેલી ગેંગ વોર દરમિયાન લતીફના એન્કાઉન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક આગેવાનો પણ આયોજનમાં જોડાયા હતા. પોલીસની થિયરી અનુસાર, 1997માં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલો લતીફ સરદારનગર પાસે સ્થિત ભૂત બંગલામાં છુપાયો હતો. પોલીસને તેની જાણ થતાં એ.કે. સુરોલિયાના નેતૃત્વમાં તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે પણ તેના પર હુમલો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં લતીફ માર્યો ગયો હતો. બાહોશ અધિકારીના જીવનની વાત કરીએ તો તેમનો જન્મ રાજસ્થાનમાં 5 મે 1960ના રોજ થયો હતો. જેઓ 1985 બેચના અધિકારી હતા. જેઓએ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે