બનાસકાંઠાઃ વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. ગામના ઉપ સરપંચ રમેશભાઈ સેનમાની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ અંગત અદાવત હોવાની વાત સામે આવી છે. ગામના જ લોકોએ ધારીયા વડે માથામાં માર મારી તેમની ઘટનાસ્થળે જ હત્યા નીપજાવી દીધી હતી. હત્યા કરનાર વ્યક્તિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. વડગામ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો આ મામલે પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે