Home> Gujarat
Advertisement
Prev
Next

Biporjoy Cyclone: ગુજરાતમાં વાવાઝોડા સામે કેવી છે તૈયારી? 'બિપોરજોય'ને લઈ CM ભૂપેન્દ્ર પટેલે તૈયાર કર્યો એક્શન પ્લાન

Biporjoy Cyclone: હવામાન વિભાગના નિયામકે જણાવ્યું હતું કે, આ સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના 6 જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા ભાગે 14 જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી.

Biporjoy Cyclone: ગુજરાતમાં વાવાઝોડા સામે કેવી છે તૈયારી? 'બિપોરજોય'ને લઈ CM ભૂપેન્દ્ર પટેલે તૈયાર કર્યો એક્શન પ્લાન

Biporjoy Cyclone: ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોડાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપકતા અને અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝીણવટપૂર્વક જાયજો મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી.

દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ: લોકોનું સ્થળાંતર શરૂ, તમામ સ્કૂલોમા 2 દિવસની રજા જાહેર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લાના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોમાં વસતા લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર અવશ્ય થઈ જાય તે જરૂરી છે. આ માટે પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા તેમણે તાકીદ કરી હતી.

શું ફરી ઈતિહાસ દોહરાવશે બિપોરજોય? 25 વર્ષ પહેલા ગુજરાતમાં બની હતી મોટી દુર્ઘટના!

મુખ્યમંત્રીએ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્‍શ, જનરેટર સાહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા હતા. સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની  સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ ‌‌‌‌દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે શ્રી ભુપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી.

‘બિપરજોય’ વાવાઝોડા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું; બધા પ્રાર્થના કરજો કે....'

હવામાન વિભાગના નિયામકે જણાવ્યું હતું કે, આ સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના 6 જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા ભાગે 14 જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી. આના પરિણામે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો અને દરિયાઈ મોજા ઉછળવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં 12 થી 14 ત્રણ દિવસ માટે યોજનારો શાળા પ્રવેશોત્સવ બે જ દિવસ 12 અને 13 જૂને યોજવા નિર્ણય કર્યો છે. 

વાવાઝોડાને લઈ CM ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી, જુઓ લિસ્ટ

એટલું જ નહિ, દરિયાકાંઠાના અને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઈ શકે તેવા 6 જિલ્લાઓ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને મોરબીમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 9 મંત્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીએ સોંપી છે.

ગુજરાત પર 15 તારીખે બપોરે કાળ બનીને અહીં ત્રાટકશે વાવાઝોડું! આ વિસ્તારો પર મોટો ખતરો

તદઅનુસાર કચ્છ માટે ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબી- કનુભાઈ દેસાઈ, રાજકોટ- રાઘવજી પટેલ,  પોરબંદર- કુંવરજી બાવળીયા,  જામનગર- મુળુભાઈ બેરા, દ્વારકા- હર્ષ સંઘવી, જુનાગઢ- જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટેની પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓ તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જઈ ત્રણ દિવસ ત્યાં જ રોકાણ કરીને તંત્રને માર્ગદર્શન આપશે. આ સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લાતંત્રોએ આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠે લાંગરેલી હોડી-બોટને સલામત સ્થળે મૂકવા તેમજ દવાઓ, પશુહાની થાય તો ત્વરિત મૃતદેહ નિકાલ, વાવાઝોડાની સ્થિતિમાં સગર્ભા માતાઓની પ્રસુતિમાં કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય સેવાઓની સજ્જતા તેમજ જે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે.

કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો

રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કેળવ્યું છે અને આ એજન્સીઓ પણ આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય છે. NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની ૧૨ ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે.

દુનિયાની એવી 5 નોકરીઓ, જેમાં કામ કંઈ નહી, પણ લાખોમાં મળે છે પગાર!

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા કલેકટરઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, આગામી 72 કલાક સુધી દર કલાકે વાવાઝોડાની સ્થિતિ અને દિશા બદલાઈ શકવાની શક્યતા છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરો સ્થિતિ પર સતત ધ્યાન રાખી સ્થાનિક પરિબળો મુજબ યોગ્ય નિર્ણય લે અને જરૂર જણાય ત્યાં સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમના સંપર્ક સાધી વધુ મદદ પણ મેળવે તે અપેક્ષિત છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મહેસુલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, સાયન્સ ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવોએ ઉપસ્થિત રહીને પોતાના વિભાગે કરેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More