અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં દેશી ઘાણીમાં પીસેલા કચરીયાનું વેચાણ શરૂ થઈ ગયુ છે. ઉત્તરાયણ સુધી કચરીયાનું વેચાણ થશે, કચ્ચરિયાના શોખીનો હવે કચરિયાની મજા માણી રહ્યાં છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં કચરીયા મળવાની શરૂઆત થઈ ગઈ છે. કચરીયું ખાવાથી શિયાળામાં ઘણો ફાયદો થાય છે. પણ એ કેવી રીતે બનાવવું અને કોણે કચરીયું ખાવું, કોણે ના ખાવું એ જાણવું પણ ખુબ જરૂરી છે. કારણ કે, વધુ પડતુ કચરિયુ ખાવુ સ્વાસ્થય માટે હાનિકારક છે. તેમજ કેટલાક પ્રકારની બીમારી ધરાવતા લોકોએ કચરીયાથી દૂર રહેવુ જોઈએ.
અમદાવાદમાં આવેલી મણીબેન આયુર્વેદિક હોસ્પિટલના મેડીકલ ઓફિસર વૈદ્ય પ્રણવ દલવાડીએ કહ્યું કે કચરીયું બનાવતી વખતે તલને ઘાણીમાં વ્યવસ્થિત પીસી દેશી ગોળના ઉપયોગથી બનાવવામાં આવે એ જરૂરી છે. આ સાથે જ કચરીયામાં સૂંઠ, કોપરું, ગંઠોળા અને સામાન્ય ગુંદર નાખીને બનાવવું જોઈએ. કચરીયું બનાવીએ ત્યારે તલમાંથી પૂરું તેલ ના કાઢવું જોઈએ, સામાન્ય તેલ રહેવા દેવું જોઈએ.
આ પણ વાંચો : ઉના : આખલાએ શીંગડા મારીને વૃદ્ધાના પેટના આંતરડા કાઢી નાંખ્યા, તરફડિયા મારતા ગયો જીવ
કચરીયાના ફાયદા
કચરિયુ ખાવાનો યોગ્ય સમય
આડેધડ કચરીયુ ખાતા લોકોએ પહેલા એ સમજી લેવુ જોઈએ કે, કચરીયું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું. એક્સપર્ટ કહે છે કે, સવારે ભૂખ્યા પેટે કચરીયું ખાવું જોઈએ, સારી રીતે પચી શકે એ માટે કચ્ચરીયું ખાધા બાદ અડધો કલાક સુધી કઈ જ ના ખાવું જોઈએ. રાતે સુતી વખતે કચરીયું ખાવાથી બચવું જોઈએ.
કોના માટે કચરીયુ નુકસાનકારક હોય છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે