Home> Gujarat
Advertisement
Prev
Next

શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ

Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની દરેક ખબર ZEE 24 કલાક બતાવશે સૌથી પહેલાં,,, દરિયા કાંઠાના 12 જિલ્લામાં અમારા 24 રિપોર્ટર તમારા સુધી પહોંચાડશે પળેપળની ખબર લાઈવ

શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ

Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી માહિતી આપી છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. તે માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. જેમાં વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે. સમુદ્રમાં વાવાઝોડુ આવે ત્યારે તેની આસપાસના એક હજાર માઈલ સુધીમાં તેની અસર થતી હોય છે. દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી ૨ દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડુ આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનીની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. બંગાળના મહાસાગરમાં પણ એક સાઈકલ બની રહી છે, જેથી વાવાઝોડાની અસર વધશે. ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ સુધી વાવાઝોડાની અસરના કારણે હળવો વરસાદ જોવા મળશે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે, ભારે પવનો ફૂંકાશે. દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે, હળવાશથી લેવાની જરૂર નથી. 

આ બંદર પર મૂકાયું 9 નંબરનું સિગનલ
પોરબંદર બંદર પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સિગ્લન બંદર વિસ્તાર તરફ વાવાઝોડુ આવતું હોવાનું સૂચવે છે. પોરબંદર જિલ્લામાં લોકો સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપી દેવાઈ છે. તો મોરબી જિલ્લાના નવલખી બંદરે પણ 9 નંબરનું સિગ્નલ મુકવા આદેશ કરાયો છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નવ નંબરનું સિગ્નલ મૂંકાયું છે. ગઈકાલ સુધી નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ હતું, જે હવે બદલાવીને હવે સીધું 9 નંબરનું થયું છે. જે બંદર કાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા દર્શાવતા નવ નંબરનું સિગ્નલ મુકાયું છે. તો દ્વારકાના ઓખા બંદર લગાવાયું ૯ નંબરનું સિગ્નલ મૂકાયું છે. સાથે જ નીચાણવાળા લોકોને સ્થળાંતર કરવાના આદેશ છૂટ્યા. લોકોને દરિયા કિનારાથી દુર રહેવા અપીલ કરાઈ છે. 

મોરબીના નવલખી બંદરે નવ નંબરનું સિગ્નલ લાગતા તમામ કામગીરી બંધ કરવા આદેશ કરાયા. નવલખી બંદરે આવતા કોલસાની હેરાફેરી માટે દોડતા ટ્રકોમાં લોડિંગ અને લોડીંગ બંધ કરવા આદેશ છૂટ્યા. બપોર બાદ મોરબીના નવલખી બંદર ઉપરથી તમામ લોકોને બહાર કાઢવા માટે જીલ્લા કલેકટરનો આદેશ.
 

હવામાન વિભાગની ચક્રવાતની ચેતવણી : ઓરેન્જ એલર્ટ જાહેર, ગોમતી ઘાટના પથ્થરો ઉખડ્યા

આરોગ્ય વિભાગ પણ એલર્ટ, દવાનો જથ્થો રાખવા સૂચના અપાઈ
વાવાઝોડાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગના અધિક નિયામક નો તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખાયો છે. તમામ અધિકારીઓએ હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના કરાઈ છે. પીએચસી, સીએચસી અને સબ સેંટર પર દવાઓનો પુરતો જથ્થો રાખવા સૂચના કરાઈ. તો એમ્બ્યુલન્સ ચાલુ અવસ્થામા રાખવી અને ડિઝલ ભરાવી રાખવા સૂચના અપાઈ. તેમજ વીજળી માટે જનરેટર ની ચકાસણી કરી ડિઝલ નો વધારાનો સ્ટોક રાખવા સૂચના આપી. આ ઉપરાંત સગર્ભા મહિલાઓની યાદી બનાવી યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈ. 

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દ્વારકા અને જુનાગઢમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા

વલસાડના તિથલ ગામમાં ભારે પવનના કારણે સરોવરનું ઝાડ તૂટ્યું હતું. તિથલ બીચ થી સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પર સરોવરના ઝાડ તૂટતા રસ્તો બંધ થયો છે. રસ્તા ઉપર થી ઝાડ ન હટાવતા વાહન ચાલકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન છે. 

કેન્દ્ર સરકારે એનડીઆરએફની ટીમ ગુજરાત મોકલી 
કેન્દ્ર સરકારે એનડીઆરએફની વધુ ૨ ટીમ ગુજરાતને મોકલી છે. મહારાષ્ટ્રથી એનડીઆરએફની બે ટીમ ગુજરાત આવશે. મહારાષ્ટ્રથી આવનાર એનડીઆરએફની બે ટીમ રીઝર્વ રાખવામા આવશે. કચ્છ, જામનગર અને દ્વારકામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ૨-૨ ટીમ ડેપ્યુટ કરાઈ છે. જામનગર અને કચ્છ મા પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ૨-૨ ટીમ ડેપ્યુટ કરાઈ છે. ગીરસોમનાથ, જૂનાગઢ, મેરબી, પોરબંદર મા એસડીઆરએફ એનડીઆરએફ ની ૧-૧ ટીમ ડેપ્યુટ કરાઈ છે. તો રાજકોટ મા એનડીઆરએફ ની ૧ ટીમ રીઝર્વ મૂકાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More