Home> Gujarat
Advertisement
Prev
Next

થરાદમાં શંકર ચૌધરી આકરા પાણીએ જોવા મળ્યા, તોફાની તત્વોને કડક શબ્દોમાં આપી ચેતવણી

Shankar Chaudhary : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના થરાદમાં આવેલા દુધવામાં મતવિસ્તારની લીધી મુલાકાત.....મુલાકાત દરમિયાન તોફાની તત્વોને શંકર ચૌધરીની ચીમકી.....કોઈપણ આગેવાન, કાર્યકર્તા કે પ્રજાને તકલીફ પડશે તો કાયદો કાયદાનું કામ કરશે.....

થરાદમાં શંકર ચૌધરી આકરા પાણીએ જોવા મળ્યા, તોફાની તત્વોને કડક શબ્દોમાં આપી ચેતવણી

Shankar Chaudhary અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવનાર શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાત લીધી હતી. જેમાં શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. તેમણે તોફાની તત્વોને શાન ઠેકાણે લાવવા માટે આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.  

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, કોઈપણ આવારું તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પાડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ. પરંતુ જો કોઈ ડાંડાઈ કરશે તો તેને એની જ ભાષામાં જવાબ કાયદો આપશે. અનેક ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે ભૂલથી પણ. બાકી જો અખતરો કરે તો જેમ માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે જોઈ લેજો.

આ પણ વાંચો : 

મંત્રીઓને ‘નાયક’ બનવાનો ચસ્કો લાગ્યો : 16માંથી આટલા મંત્રીઓ તો પોલીસની જેમ રેડ પાડી

IAS અને ભાજપના નેતાઓને બખ્ખા, G-20 ઉત્સવના બહાને કમાણી કરી લેશે

વિધાનસભા અધ્યક્ષ સંકર ચૌધરી મતવિસ્તારની મુલાકાત દરમિયાન તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું. તેઓએ વધુમાં કહ્યુ હતું કે, હું આ બધું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ.

આ પણ વાંચો : બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ સપ્તાહમાં પડશે, બુધ-ગુરુ-શુક્રની આગાહી ભયંકર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More